Monday, November 17, 2025

નારણપુરામાં રોડ કપાતનો અમલ મોકૂફ રખાયો, સ્થાનિકોના આક્રોશને પગલે AMC નો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના ભાજપા ગઢ ગણાતા નારણપુરા વિસ્તારમાં ભાજપનો જ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેમાં નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધી 8૦ ફૂટનો રસ્તો 1૦૦ ફૂટ કરવા AMC વહીવટીતંત્ર દ્વારા રોડ કપાતનો અમલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, સ્થાનિકોના આક્રોશને પગલે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે સવારે 16 ફેબ્રુઆરીથી રોડ પહોળો કરવા માટે કપાતની પ્રક્રિયા શરૂ થવાની હતી. નારણપુરામાં સ્થાનિક લોકોના વિરોધ બાદ ભાજપના નેતાઓ અને AMC તંત્રએ નમતું જોખવાની ફરજ પડી છે. ગઈકાલ રાત સુધી ભાજપના સ્થાનિક નેતાઓને કોર્પોરેટરો રોડ કપાતના અમલીકરણ માટે મક્કમ હતા. કોઈપણ સંજોગોમાં આ રોડ કપાત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જો રોડ કપાત થશે તો મોટો વિવાદ ઊભો થાય તેવા ડરના કારણે હાલ પૂરતું એક દિવસ માટે આ ડિમોલેશન રોકવાનો AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે રોડ કપાતના અમલીકરણને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ આવી અને સ્થાનિક લોકોને જાણ કરી હતી. જેને લઇ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.એક દિવસ પૂરતું બંધ રાખવાના નિર્ણય બાદ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક દિવસ પૂરતું ડિમોલેશન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ કાયમી આ ડિમોલેશન ન કરવામાં આવે તેના માટેની અમારી લડત ચાલુ રહેશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...