Sunday, September 14, 2025

અમદાવાદ BMW હિટ એન્ડ રન કેસ : આરોપી સત્યમ શર્માને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધો

Share

Share

અમદાવાદ : અમદાવાદ BMW હિટ એન્ડ રન કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. શહેરના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસનો આરોપી સત્યમ શર્મા રાજસ્થાનથી ઝડપાયો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ BMW કાર દ્વારા દંપતિને ઉડાવી ફરાર થયેલો સત્યમ શર્માની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી સત્યમની રાજસ્થાનથી ધરપકડ કરીને અમદાવાદ લવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં આજે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી.

BMW હિટ એન્ડ રનની ઘટનાના 5 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર હતી. આ ઘટના બાદ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અને આરોપી સત્યમ શર્માને ઝડપ્યો છે. તમને જણાવી દઈએ કે, આરોપી સત્યમ શર્માનું છેલ્લું લોકેશન અને સીસીટીવી ફૂટેજ હોવા છતાંય પોલીસ તેને હજી સુધી પકડી શકી નહોતી.

આમ આ કેસમાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા. જેને લઈને ગઈકાલે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી.બીજી તરફ ચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દંપતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...