Friday, March 13, 2026

નવા વાડજની આ શાળા દ્વારા ધો.10 તથા ધો.12 વિધાર્થીઓ માટે અનોખો વિદાય કાર્યક્રમ યોજ્યો

spot_img
Share

અમદાવાદ : વિદ્યાર્થીઓ માટે વિદાય એ બંધનોનો અંત નથી પરંતુ પૂર્ણતાના અંતિમ ચરણે પહોંચેલ શાળા જીવનથી વળાંક લઈ આવનારા ભવિષ્ય તરફનું પ્રથમ ચરણ છે. નવા વાડજમાં આવેલ શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા ધો.10 તથા ધો.12 વિધાર્થીઓને અનોખી વિદાય આપી હતી, જેમાં શાળાના કેમ્પસમાં આશીર્વાદ રૂપે ગાયત્રી હવન તથા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળા જીવન દરમ્યાનના તેમના સંસ્મરણો વિશે ભાવુક થઇ વાત રજુ કરી હતી અને વિધાર્થીઓએ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ગુરુ દ્વારા તેમને પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન માટે માર્ગ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય જસ્મીનાબેન પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે દરેક ક્ષેત્રમાં અગ્રેસર થવા માટે તેમના વિચારો રજૂ કર્યા તથા આશીર્વાદ આપ્યા હતા.ગાયત્રી હવન દ્વારા વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં નવા પથ પ્રદર્શિત કરનાર તેમની કલમની પૂજા કરી ઈશ્વરના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

શ્રી ગણેશ વિદ્યાલય શાળા પરિવાર વિદ્યાર્થીઓ સદાય ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરે અને તેમના જીવનમાં ઉન્નતિના શિખરો સર કરે તે માટેના કાર્યો કરવા માટે હરહંમેશ તત્પર રહે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...