Monday, November 17, 2025

બોર્ડની પરીક્ષા પૂર્વે વાલીઓ માટે મહત્વની ટિપ્સ, આ રીતે વિધાર્થીઓમાં રહેલ પરીક્ષાનો ડર દૂર કરી શકાય !!

spot_img
Share

અમદાવાદ : આવતીકાલથી એટલે કે 14 માર્ચ ના રોજ શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, સામાન્ય રીતે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને થોડો ડર રહેતો હોય છે. સાથે જ બાળકોની પરીક્ષાને લઇને વાલીઓમાં પણ ચિંતા જોવા મળતી હોય છે. વાલીઓ કેટલીક મહત્વની બાબતો પોતાના બાળકો સાથે શેર કરીને તેમનો ડર દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે કેટલીક શારીરિક અને માનસિક કસરતથી પરીક્ષાના ભયથી મુક્ત બની શકે છે.

વાલીઓ દ્વારા વિધાર્થીને શ્વાસોશ્વાસની કસરતની સલાહ….
વાલીઓ પોતાના બાળકોને શ્વાસોશ્વાસની કસરત કરવાની સલાહ આપી શકે છે. વિદ્યાર્થીઓએ આરામથી બેસી અથવા આસન ઉપર સૂઈ જવુ. નાકમાંથી શ્વાસ લેવો અને 5 કાઉન્ટ સુધી પેટને ફુલાવવુ, ત્રણ કાઉન્ટ સુધી શ્વાસને રોકી રાખો, હવે શક્ય હોય તેટલો ધીમે ધીમે મોંમાંથી શ્વાસ છોડવો. 3થી 5 મિનિટ સુધી આમ કરવાથી એકાગ્રતામાં સુધારો થાય છે.

બાળકો વાતચીત કરવી જોઇએ, તેમની મુંઝવણ દૂર કરો
વાલીઓએ પરીક્ષા પહેલા તેમના બાળકો સાથે વાતચીત કરવી જોઇએ અને તેમની મૂંઝવણોને સાંભળવી જોઇએ. વાલીઓએ અઠવાડિયામાં બે વાર અથવા જ્યારે પણ જરૂર હોય ત્યારે આ કામ કરવુ જોઇએ. જેનાથી બાળકોનું મન હળવુ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.

વિદ્યાર્થીઓને નિયમિત દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા
વાલીઓએ બાળકોને દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા જોઇએ. વિદ્યાર્થીઓએ દરરોજના અભ્યાસ માટે યોજના બનાવવી. તેમાં દરેક કલાકની કામગીરી જેવી કે ઉંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજન, વ્યાયામ, મનોરંજનનો સમય, અભ્યાસનો સમયનો સમાવેશ થવો જોઈએ.

વહેલી સવારે કુદરતી વાતાવરણમાં ચાલવુ
વહેલી સવારે ધીમી ગતિએ ચાલવાથી અને તાજી હવામાં શ્વાસ લેવાથી મગજ તેજ બને છે, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને શીખવાનું કાર્ય સરળ બને છે. વિદ્યાર્થીઓ વહેલી સવારે લગભગ 21 મિનિટ સુધી ચાલવુ જોઇએ

વિદ્યાર્થીઓને મેડિટેશનની સલાહ
વાલીઓએ વિદ્યાર્થીઓને ધ્યાન કરવાની સલાહ આપવી જોઇએ. વિદ્યાર્થીઓએ રાત્રે ઉંઘતા પહેલા કોઇનું માર્ગદર્શન સાંભળવુ જઇએ. તેનાથી મન શાંત થાય છે. વિદ્યાર્થીઓએ મેડિટેશન 20 મિનિટ અથવા તેનાથી વધારે સમય સુધી કરવુ જોઇએ.

મહત્વનું છે કે જો તંદુરસ્ત વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દરેક બાળકમાં જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી સિદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...