Thursday, March 5, 2026

મોહનથાળના પ્રસાદના નિર્ણયથી ખુશી, નવા વાડજના અંબાજી મંદિર ખાતે ઉજવણી કરાઈ

spot_img
Share

અમદાવાદ : છેલ્લા 12 દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.જેને લઈને નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે જય અંબે યુવક મંડળના કાર્યકર્તાઓ જીતના વધામણાં કરવા મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ ચઢાવ્યો હતો. તે બાદ કાર્યકરોએ એકબીજાને પ્રસાદ ખવડાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અંબાજી મંદિર ખાતે મોહનથાળના પ્રસાદના નિર્ણયને આવકારવા જય અંબે યુવક મંડળ અને જય ગૌ માતા સેવા ગ્રુપના કાર્યકરો એકઠા થઇ સૌપ્રથમ મહાઆરતી યોજવામાં આવી હતી, ત્યારબાદ માતાજીના દર્શન કરી મોહનથાળનો પ્રસાદ ચઢાવ્યો હતો. તે બાદ કાર્યકરોએ એકબીજાને પ્રસાદ ખવડાવ્યો હતો.

આ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત અખિલ ભારતીય હિન્દુ મહાસભાના કર્ણાવતી શહેર પ્રમુખ લોકેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે માં અંબાના સૌ માઇભક્તોની પ્રાથના અને લડતના પરિણામે માં અંબાના પ્રસાદ મોહનથાળ પર લગાવાયેલા પ્રતિબંધને સરકારે પરત લેવો પડ્યો છે. ભક્તોની આસ્થાનો ભવ્ય વિજય છે. બોલ મારી અંબે, જય જય અંબે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...