Wednesday, May 20, 2026

ચૈત્રી નવરાત્રી લઈને આ હિન્દૂ સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું, માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા માંગણી

spot_img
Share

અમદાવાદ : અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારત હિન્દુ મહાસભાના એક પ્રતિનિધિમંડળ દ્વારા અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હાલ ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોઇ સનાતન ધર્મ પાળતા લોકો માટે આ દિવસો ખૂબ જ મહત્વના અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ દાન પૂર્ણ કરતા હોય છે. આવા સમયમાં રોડ રસ્તા ઉપર ચાલતા કે ફરતા જ્યાં ત્યાં માંસ મટનની દુકાનોમાં ખુલ્લેઆમ જીવ હત્યા થઈ રહી હોય, જે ખાસ કરીને સનાતન ધર્મની માતા બહેનો ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તો આપ શ્રી વિનંતી છે કે ધાર્મિક માન્યતાઓને ધ્યાને રાખી અને સમાજની લાગણીઓને માન આપી માંસ મટનની દુકાનો સ્વેચ્છિક રીતે આ પવિત્ર દિવસોમાં બંધ રહે અને સમાજમાં એક સારો સંદેશ મળી રહે તેઓ આપ દ્વારા પગલાં લેવામાં આવે અને સર્વ ધર્મ સમભાવની ભાવના દરેક સમાજનું પ્રવર્તે એવી માંગ કરવામાં આવે છે.

અખિલ ભારત હિન્દુ મહાસભા લોકેન્દરસિંઘ ઠાકુર (પ્રમુખ, કર્ણાવતી શહેર), પર્વતસિંહ ચૌહાણ (સંગઠન મંત્રી,કર્ણાવતી), સમીર શાહ (ગૌ રક્ષક સંગઠન મંત્રી, કર્ણાવતી), ગોવિંદ મિશ્રા (પ્રમુખ, ચાંદલોડિયા વોર્ડ), રાહલ પાન્ડે, (સંગઠન મંત્રી, ન્યુ રાણીપ વોર્ડ), અમીત ત્રિવેદી (સંગઠન મંત્રી, ન્યુ રાણીપ વોર્ડ) તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદમાં ચાલતી માંસ-મટનની દુકાનો બંધ કરાવવા માટેનું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...