Saturday, February 7, 2026

ચૈત્રી નવરાત્રી લઈને આ હિન્દૂ સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું, માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા માંગણી

spot_img
Share

અમદાવાદ : અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારત હિન્દુ મહાસભાના એક પ્રતિનિધિમંડળ દ્વારા અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હાલ ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોઇ સનાતન ધર્મ પાળતા લોકો માટે આ દિવસો ખૂબ જ મહત્વના અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ દાન પૂર્ણ કરતા હોય છે. આવા સમયમાં રોડ રસ્તા ઉપર ચાલતા કે ફરતા જ્યાં ત્યાં માંસ મટનની દુકાનોમાં ખુલ્લેઆમ જીવ હત્યા થઈ રહી હોય, જે ખાસ કરીને સનાતન ધર્મની માતા બહેનો ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તો આપ શ્રી વિનંતી છે કે ધાર્મિક માન્યતાઓને ધ્યાને રાખી અને સમાજની લાગણીઓને માન આપી માંસ મટનની દુકાનો સ્વેચ્છિક રીતે આ પવિત્ર દિવસોમાં બંધ રહે અને સમાજમાં એક સારો સંદેશ મળી રહે તેઓ આપ દ્વારા પગલાં લેવામાં આવે અને સર્વ ધર્મ સમભાવની ભાવના દરેક સમાજનું પ્રવર્તે એવી માંગ કરવામાં આવે છે.

અખિલ ભારત હિન્દુ મહાસભા લોકેન્દરસિંઘ ઠાકુર (પ્રમુખ, કર્ણાવતી શહેર), પર્વતસિંહ ચૌહાણ (સંગઠન મંત્રી,કર્ણાવતી), સમીર શાહ (ગૌ રક્ષક સંગઠન મંત્રી, કર્ણાવતી), ગોવિંદ મિશ્રા (પ્રમુખ, ચાંદલોડિયા વોર્ડ), રાહલ પાન્ડે, (સંગઠન મંત્રી, ન્યુ રાણીપ વોર્ડ), અમીત ત્રિવેદી (સંગઠન મંત્રી, ન્યુ રાણીપ વોર્ડ) તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદમાં ચાલતી માંસ-મટનની દુકાનો બંધ કરાવવા માટેનું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...