Friday, March 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો નિષ્ફળ પ્રયાસ, લૂંટારુઓ ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં લૂટારું પોલીસથી એક કદમ આગળ ચાલતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલી શિવકૃપા જ્વેલર્સમાં બે બુકાનીધારી લોકોએ બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો છે.

મળતા રિપોર્ટ પ્રમાણે આજે સવારે નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલી શિવકૃપા જ્વેલર્સમાં બે બુકાનીધારી લૂંટારૂઓએ ધાડ પાડી હતી. બાઈક પર આવેલા બુકાનીધારીઓએ ગન બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.જ્વેલર્સના માલિકના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા આસપાસ આ લૂંટારૂઓ બંદુક સાથે ત્રાટક્યા હતા. 9 વાગ્યે જ્વેલરી શોપ ખુલી હતી અને માલિક દુકાન જમાવી રહ્યા હતા, તે સમયે બે લૂંટારૂ આવ્યા અને બંદુકની અણી બતાવી હતી. તેમને બંદુક બતાવી કહ્યુ અવાજ ન કરતા, જે હોય તે બધો માલ આપી દો.

જો કે લૂંટને અંજામ આપે તે પહેલા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઈ જતા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓ સાથે થયેલ ઝપાઝપીમાં દુકાનના માલિકને ઈજા પણ પહોચી હતી.ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસને જોઈ ઘટનાસ્થળેથી લૂંટારૂઓ ત્યાંથી ભાગ્યા હતા.સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક પર આવેલા લૂંટારૂઓએ જ્વેલર્સમાં બંદૂક બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

મહત્વનું છે કે, બે લૂંટારૂઓ દુકાન પાસેના સીસીટીવીમાં કેદ થયા હતા. જેને આધારે પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેના માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. એટલું જ નહીં ઘટના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...