Wednesday, January 7, 2026

પોલીસ કમિશનરનું જાહેરનામું : સ્પા-મસાજના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને સેવન, દેહ વ્યાપારથી લઈને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સ્પા અને મસાજ પાર્લરના માલિકો, સંચાલકો અને સ્ટાફ મેમ્બરની નોંધણી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરાવવી પડશે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલીક જગ્યા એ સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

જાહેરનામાં મુજબ સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાના નામ, સરનામુ, મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ સહિત તમામ વિગતો આપવાની રહેશે. તેવી જ રીતે કામ કરનાર વ્યકિતના ફોટા સહિતની તમામ વિગતો આપવાની રહેશે. જો કામ કરનાર કર્મચારી રાજ્ય બહાર કે દેશ બહારની હશે તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. વિદેશી વ્યકિતએ પાસપોર્ટ અને વિઝાની વિગતો પોલીસને આપવાની રહેશે. આ જાહેરનામુ તા. 31 મે 2023 સુધી અમલી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ગમે તેટલા કડક નિયમો બનાવે પરંતુ સ્પાના અમુક સંચાલકો પોલીસની આંખમાં ધૂળ નાંખીને સ્પાની આડમાં અનેક ગોરખધંધા કરતા રહે છે ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, નવરંગપુરા, એસજી હાઇવે રોડ, થલતેજ, બોપલ સહીત પશ્ચિમના અનેક વિસ્તારમાં આ દુષણ ખૂબ વધ્યું છે. તેના માટે લોકોની માનસિકતા જવાબદાર છે જ્યાં સુધી તેઓ માનસિક રીતે સ્વસ્થ નહિં બને ત્યાં સુધી સ્પા અને મસાજ પાર્લર જેવી આડમાં આવા ધંધા ચાલતા રહેશે. પોલીસ સર્તક રહી શકે અને આસપાસના નાગરિકો જાગૃત રહીને પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે તો આવા પ્રકારના ક્રાઈમ પર થોડીક રોક લાગી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...