Monday, September 15, 2025

પોલીસ કમિશનરનું જાહેરનામું : સ્પા-મસાજના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત

Share

Share

અમદાવાદ : શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને સેવન, દેહ વ્યાપારથી લઈને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સ્પા અને મસાજ પાર્લરના માલિકો, સંચાલકો અને સ્ટાફ મેમ્બરની નોંધણી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરાવવી પડશે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલીક જગ્યા એ સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

જાહેરનામાં મુજબ સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાના નામ, સરનામુ, મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ સહિત તમામ વિગતો આપવાની રહેશે. તેવી જ રીતે કામ કરનાર વ્યકિતના ફોટા સહિતની તમામ વિગતો આપવાની રહેશે. જો કામ કરનાર કર્મચારી રાજ્ય બહાર કે દેશ બહારની હશે તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. વિદેશી વ્યકિતએ પાસપોર્ટ અને વિઝાની વિગતો પોલીસને આપવાની રહેશે. આ જાહેરનામુ તા. 31 મે 2023 સુધી અમલી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ગમે તેટલા કડક નિયમો બનાવે પરંતુ સ્પાના અમુક સંચાલકો પોલીસની આંખમાં ધૂળ નાંખીને સ્પાની આડમાં અનેક ગોરખધંધા કરતા રહે છે ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, નવરંગપુરા, એસજી હાઇવે રોડ, થલતેજ, બોપલ સહીત પશ્ચિમના અનેક વિસ્તારમાં આ દુષણ ખૂબ વધ્યું છે. તેના માટે લોકોની માનસિકતા જવાબદાર છે જ્યાં સુધી તેઓ માનસિક રીતે સ્વસ્થ નહિં બને ત્યાં સુધી સ્પા અને મસાજ પાર્લર જેવી આડમાં આવા ધંધા ચાલતા રહેશે. પોલીસ સર્તક રહી શકે અને આસપાસના નાગરિકો જાગૃત રહીને પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે તો આવા પ્રકારના ક્રાઈમ પર થોડીક રોક લાગી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...