Saturday, November 8, 2025

પોલીસ કમિશનરનું જાહેરનામું : સ્પા-મસાજના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને સેવન, દેહ વ્યાપારથી લઈને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સ્પા અને મસાજ પાર્લરના માલિકો, સંચાલકો અને સ્ટાફ મેમ્બરની નોંધણી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરાવવી પડશે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલીક જગ્યા એ સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

જાહેરનામાં મુજબ સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાના નામ, સરનામુ, મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ સહિત તમામ વિગતો આપવાની રહેશે. તેવી જ રીતે કામ કરનાર વ્યકિતના ફોટા સહિતની તમામ વિગતો આપવાની રહેશે. જો કામ કરનાર કર્મચારી રાજ્ય બહાર કે દેશ બહારની હશે તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. વિદેશી વ્યકિતએ પાસપોર્ટ અને વિઝાની વિગતો પોલીસને આપવાની રહેશે. આ જાહેરનામુ તા. 31 મે 2023 સુધી અમલી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ગમે તેટલા કડક નિયમો બનાવે પરંતુ સ્પાના અમુક સંચાલકો પોલીસની આંખમાં ધૂળ નાંખીને સ્પાની આડમાં અનેક ગોરખધંધા કરતા રહે છે ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, નવરંગપુરા, એસજી હાઇવે રોડ, થલતેજ, બોપલ સહીત પશ્ચિમના અનેક વિસ્તારમાં આ દુષણ ખૂબ વધ્યું છે. તેના માટે લોકોની માનસિકતા જવાબદાર છે જ્યાં સુધી તેઓ માનસિક રીતે સ્વસ્થ નહિં બને ત્યાં સુધી સ્પા અને મસાજ પાર્લર જેવી આડમાં આવા ધંધા ચાલતા રહેશે. પોલીસ સર્તક રહી શકે અને આસપાસના નાગરિકો જાગૃત રહીને પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે તો આવા પ્રકારના ક્રાઈમ પર થોડીક રોક લાગી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...