Wednesday, February 11, 2026

રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે 3 બાઈકને મારી ટક્કર, બાઈક બળીને ખાખ

spot_img
Share

અમદાવાદ : ગત સોમવારે મોડી રાતે અમદાવાદના રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે બની છે. દૂધેશ્વરથી દધીચિ બ્રિજ તરફ જતા રોડ પર આવેલા માસ્ટર કોલોની રોડ પરથી પૂર ઝડપે કાર લઈને નીકળેલી મહિલાએ બાઈક 3 બાઈકને ટક્કર મારી હતી. તેમાંથી એક બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.જેમાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં લીકેજ થવાથી બાઈક સળગી ગયું હતું, જ્યારે ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે મોડી રાતે પૂર ઝડપે કાર લઈને નીકળેલી મહિલાએ 3 બાઈકને ટક્કર મારી હતી.જો કે કારની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગ્યા બાદ બાઈક 15થી 20 ફુટ સુધી ઢસડાયું હતું. જ્યારે દંપતી પણ ફંગો‌‌ળાઈને દૂર પડયા હતા. આ દરમિયાન બાઈકની પેટ્રોલ ટાંકીમાં લીકેજ થતાં બાઈક સળગી ગયું હતું.આ અંગે સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

આગની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલીક ધોરણે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સળગતા બાઈક પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતમા 3 લોકોને ઈજા થઈ છે. જેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કાર ચાલક મહિલાએ માત્ર બાઈક પર જઈ રહેલા દંપતીને જ નહીં પરંતુ અન્ય એક એક્ટિવાને પણ અડફેટે લેતા તેના પર સવાર બંને વ્યક્તિઓને પણ સામાન્ય ઈજા થઇ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...