Tuesday, February 10, 2026

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 324 કેસ, અમદાવાદના પશ્ચિમના આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 04થી એપ્રિલ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 324 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ નોંધાયા છે. જ્યારે 169 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં એક દર્દી કોરોના સામે ઝીંદગીનો જંગ હારી જતા લોકોમાં ચિંતા જન્મી છે. તો કોરોનાના કુલ 10 ગંભીર અસરગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં કોરોનાનાં 766 જેટલા એક્ટિવ કેસો છે. જેમાં રોજના 38થી 40 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. છેલ્લા બે દિવસમાં હાલમાં 100થી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે શહેરના બોડકદેવ, થલતેજ, નવરંગપુરા સહિતના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોનાના દૈનિક 1500થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદની એસવીપી અને એલજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર જિલ્લા વાર કોરોના કેસોમાં અમદાવાદ શહેરમાં 94 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. વધુમાં સુરત શહેરમાં 32, સુરત ગ્રામ્યમાં 6, વડોદરા શહેરમાં 24, ગ્રામ્યમાં 24, રાજકોટ શહેરમાં 14, ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે. એ જ રીતે ગાંધીનગર શહેરમાં 8, ગ્રામ્યમાં 2, જામનગર શહેરમાં 7 ગ્રામ્યમાં 2, ભાવનગર શહેરમાં 6 કેસ, ગ્રામ્યમાં એક પણ કેસ નહી મહેસાણામાં 21 કેસ, મોરબીમાં 15 કેસ, અમરેલીમાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 8, વલસાડમાં 7, પાટણમાં 5 કેસ તથા ખેડા અને કચ્છ તેમજ પંચમહાલમાં 4 કેસ નોંધાયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...