Sunday, March 15, 2026

અમદાવાદની તાજ હોટલમાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપાયું મસમોટું જુગારધામ. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાંથી આ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદની હોટલમાં ચાલતા જુગારધામ પર PCBએ દરોડો પાડીને 10 જુગારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ PCBની ટીમે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંકલ્પ ગ્રૂપના માલિક કૈલાશ રામઅવતાર ગોયન્કાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તે પોતે તાજ હોટલના માલિક હોવાનું પણ ખુલ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલ તાજ હોટેલ ના રૂમ નંબર 721 માં થી 10 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી પાડયા છે પકડાયેલ 10 જુગારી અમદાવાદ શહેર ના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે. અચાનક પોલીસે હોટલમાં પ્રવેશીને તપાસ કરી. હોટલના એક વૈભવી રૂમમાં આ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટામાથાઓ ઠાઠથી જુગાર રમતા હતા. પોલીસે આ જુગારીઓની રંગેહાથે ધરપકડ કરી છે.તાજ હોટેલના માલિક કૈલાશ ગોયન્કા સહિત 10 જુગારીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ અનુસાર, કૈલાશ ગોયેન્કા પોતાની માલિકીની તાજ હોટલમાં પોતાના મિત્ર વર્તુળના માણસોને બોલાવી ભેગા કરી ગંજી પાનાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા. રેડ દરમિયાન જુગારના અખાડામાંથી જુગાર રમતા પકડાયેલ 10 ઈસમો પાસેથી 9,83,350 રૂપિયા રોકડા મળી આવ્યા છે. સાથે જ આ ઈસમો પાસેથી મોબાઈલ ફોન, ગંજીપાનાની કેટો, લાલ તથા સફેદ કલરના કોઈન નંગ-186 મળી કુલ રૂપિયા 10,48,350નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પકડાયેલાં જુગારીઓના નામ…
કૈલાશ રામઅવતાર ગોયન્કા
શંકરભાઈ મોહનભાઈ પટેલ
અજિત શાંતિલાલ શાહ
કનુભાઈ અંબાલાલ પટેલ
ભાવિન ઈન્દ્રજીત પરિખ
પ્રદિપ રામભાઈ પટેલ
જગદિશ ભગવાનભાઈ દેસાઈ
નરેન્દ્ર જીવણલાલ પટેલ
હસમુખ મફતલાલ પરીખ
ભરત મણિલાલ પટેલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...