Thursday, March 5, 2026

આનંદો ! અદાણી CNG અને PNG ગેસના ભાવમાં ભારે ઘટાડો, આજ રાતથી થશે અમલી

spot_img
Share

અમદાવાદ : સરકારે ગેસના ભાવની ફોર્મ્યુલા બદલ્યા બાદ ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વાહનોમાં ઉપયોગમાં લેવાતા CNG અને ઘરેલુ ઉપયોગ માટે PNGના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ગેસ સપ્લાય કરતી અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ 08 એપ્રિલની મધરાતથી CNGના ભાવમાં 8.13 રૂપિયા પ્રતિ કિલો અને PNGના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે. CNGમાં ભાવ ઘટાડાને લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ PNG ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.આ ભાવ આજ મધરાતથી અમલી બનશે

ગેઇલ ઇન્ડિયાની પેટાકંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ શુક્રવારે તેના વિતરણ વિસ્તારોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 8 અને ઘરેલું પાઈપવાળા રસોઈ PNG ગેસના ભાવમાં રૂ. 5 નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિ અંગે ગુરુવારે કરવામાં આવેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને MGLએ આ પગલું ભર્યું છે. આ જાહેરાત બાદ સરકારે શુક્રવારે CNG અને પાઈપવાળા રાંધણ PNG ગેસના નવા ભાવ પણ જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોદી કેબિનેટે નવી ગેસ કિમતની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી,આ મામલે હવે ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. કેબિનેટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાથી PNG અને CNGની કિંમતોમાં ઘટાડો થશે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, દેશનાં શહેરોમાં બંનેના ભાવમાં સામાન્ય લોકોને કેટલી રાહત મળશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે, નવી ફોર્મ્યુલાની અસરને કારણે કિંમતોમાં ઘટાડો થશે અને દેશભરમાં CNG અને PNGની કિંમતોમાં 7 થી 10 ટકાની રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...