Tuesday, March 10, 2026

અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકો માટે પ્રાથમિક સારવારની તાલીમ અને ફર્સ્ટ એઇડ કિટનું વિતરણ કરાયું

spot_img
Share

અમદાવાદ : કોઈપણ બીમારી, ઈજા કે દુર્ઘટના માટે ચિકિત્સક અથવા એમ્બ્યૂલન્સ આવતાં પહેલાં ઘણીવાર રાહતકાર્ય, ઉપચાર કે સારવાર જરૂરી હોય છે. તેને પ્રાથમિક સારવાર અથવા અંગ્રેજીમાં પ્રાથમિક સારવાર કહે છે. આ ઉપચાર દરમિયાન ઉપયોગમાં આવતાં સાધનોના સંગ્રહને ફર્સ્ટ એઇડ કિટ કહે છે. અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રિક્ષાચાલકો માટે ફર્સ્ટ એઇડ કિટનું વિતરણ કરાયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ ડે અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિતે GCS હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકો માટે ફર્સ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અભિયાન હેઠળ CPR (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધી જાય છે. આ અભિયાનમા આશરે 100 થી વધુ રિક્ષાચાલકો જોડાયા હતા.આ અભિયાન પાછળનું કારણ જનજાગૃતિ ફેલાવાનું અને હૃદયની કાળજી રાખવાનુ હતું. તમારા વાહનમાં ફર્સ્ટ એઇડ કિટથી તમે તાત્કાલિક સારવાર લઈ શકો છો.

આપણે જોઈએ છીએ કે રોડ પર રાત-દિવસ ઘણા એકસિડેન્ટ થતા હોય છે પણ ફર્સ્ટ એઇડ કિટના અભાવના કારણે પીડિત વ્યક્તિની સારવાર સમયસર થઈ શકતી નથી અને ઘણી વખતે ગંભીર ઈજાના કારણે વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થતું હોય છે. આવા સમયે પ્રાથમિક સારવારની તાલીમ અને ફર્સ્ટ એઇડ કિટનું મહત્વ ખુબ વધી જાય છે. GCS હોસ્પિટલ દ્વારા કરાયેલ આ ભગીરથ કાર્યને મિર્ચી ન્યુઝ પરિવાર બિરદાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...