Friday, March 13, 2026

જુના વાડજમાં ‘ગ્રીષ્માકાંડ’ થતા થતા રહી ગયો : એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે ઝીંકી દીધા છરીના ઘા, સગીરાને આવ્યા 35 ટાંકા

spot_img
Share

અમદાવાદ : ગ્રીષ્મા હત્યાકાંડને યાદ કરાવતી એક ઘટના શહેરના જુના વાડજ વિસ્તારમાં બનતા ચકચાર મચી ગઇ છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગઇકાલે જાહેરમાં સગીરાના ગળા પર છરી ફેરવી દીધી હતી. સગીરાએ યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરતા આ હિંચકારી ઘટના બનવા પામી હતી. સ્થાનિકોની મદદના કારણે સગીરાને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હત. જેના કારણે તેનો જીવ બચી ગયો છે. જો સગીરાને સમયસર હોસ્પિટલમાં પહોચાડવામાં આવી ના હોત તો કદાચ અમદાવાદમાં પણ ગ્રીષ્માકાંડ થઇ ગયો હોત.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં સ્મશાનગૃહ પાસે પરિવાર સાથે રહેતી સગીરા ગઈકાલે સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ભરત બોડાણ નામના 35 વર્ષીય યુવકે તેનો પીછો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સગીરાને ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સગીરાના પરિવારે ભરત બોડાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

સગીરાના આક્ષેપ પ્રમાણે, ભરત બોડાણા છેલ્લા એક મહિનાથી તેનો પીછો કરતો હતો અને અવારનવાર તેની સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહેતો હતો. ગઇકાલે ભરત કિરાણાના સ્ટોર પાસે બેઠો હતો જ્યા સગીરા શાકભાજી લેવા માટે ગઇ હતી જ્યા તેને રોકીને લગ્ન માટેની વાત કરતો હતો. સગીરાએ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઇ હતી પરંતુ ભરત તેનો પીછો કરતો હતો. કિરાણા સ્ટોરથી થોડે દુર જઇને ભરતે સગીરાને ઉભી રાખી હતી અને કહેવા લાગ્યો હતો કે, કેમ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે.

સગીરા કઇ બોલે તે પહેલા ભરતે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને સગીરાના ગળા ભાગે ફેરવી દીધી હતી. લોહીથી લથબથ સગીરા જમીન પર ઢળી પડી હતી. જ્યારે ભરત ત્યાંથી નાસી ગયો હતો. આસપાસના લોકોએ સગીરાને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં હાલ સગીરાની હાલત નાજુક છે. વાડજ પોલીસે ભરત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...