Sunday, March 15, 2026

અમદાવાદીઓ સાવધાન : સગીરને વાહન ચલાવતા રોકવા ટ્રાફિકની ખાસ ડ્રાઈવ હાથ ધરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વયના વ્યક્તિઓને વાહન ચલાવતા રોકવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. સગીર વાહન ચલાવતા દેખાશે અને ટ્રાફિક પોલીસ પકડશે તો માતા-પિતા સામે ફરિયાદ થશે. છેલ્લા 3 મહિનામાં 15 માતા-પિતા સામે તો ગુનો નોંધાઈ પણ ચુક્યો છે. આ IPC 199 મુજબની ફરિયાદ હોય છે જેમાં 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 25 હજાર સુધીનો દંડ પણ થઇ શકે છે.

18 વર્ષની નાની ઉંમર અને વાહન ચલાવવાનો પરવાનો પણ ન હોય તેવા કોઈ વ્યક્તિને તે વાહન ચલાવવા માટે સરકાર પણ યોગ્ય માનતી નથી. જોકે અહીં સ્ટેટસ, આડસ, વ્હાલા પેરેન્ટ્સ તરીકેનો દેખાડો, સંતાનોની જીદ, બાળકની ચોરી છૂપેથી વાહન લઈ જવા વગેરે જેવી ઘણી બાબતો છે જેના કારણે વાહનની ચાવી સગીરોના હાથમાં જતી હોય છે. જોકે જે માતા પિતા સંતાનના હાથમાં જાણી જોઈને ચાવી મુકે છે તે માતા-પિતાને પછતાવાની પણ વારો આવતો હોય છે. આવું જ કાંઈક અમદાવાદમાં કેટલાક માતા પિતાની સાથે થયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનામાં 15 જેટલા માતા-પિતા સામે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસ અમદાવાદ દ્વારા આ ડ્રાઈવને અંતર્ગત સ્કૂલ અને ક્લાસીસ જેવા સ્થાનો પર વોચ પણ ગોઠવવામાં આવશે. પોલીસ પ્રમાણે લાયસન્સ વગર વાહન ચલાવતા સગીરના કારણે અકસ્માતનું જોખમ વધે છે અને તેના કારણે ન માત્ર તેમના જીવન અન્યોના જીવનને પણ એટલું જ જોખમ છે.આવા કિસ્સા રોકવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડ્રાઈવના ભાગરૂપે સ્કૂલો, ટ્યૂશન ક્લાસ જવાના રોડ પર ટ્રાફિક પોલીસ વોચ ગોઠવશે અને વાહન લઈને નીકળેલા સગીરને ઝડપી પાડવામાં આવશે. તાજેતરમાં અકસ્માતમાં બેથી ત્રણ સગીરના મોત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જ અકસ્માતમાં સગીરનું મોત થતા ટ્રાફિક પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો. એક તરફ સંતાનના મોતનું દુઃખ તો બીજી તરફ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. શાસ્ત્રીનગરમાં ત્રિપદા સ્કૂલ પાસે ક્રિકેટ રમવા જતા 16 વર્ષના ભાવેશ અને તેના બે મિત્ર રવિ અને પ્રકાશને લઈને તે બાઈક પર નીકળ્યો હતો. કૂતરું આવી જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેમાં ભાવેશનું મોત થયું હતું. આ કેસમાં તેના માતા-પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...