Sunday, March 1, 2026

અટલફુટ ઓવરબ્રિજ પર કાચની ફરતે લગાવી દીધી ગ્રીલ, મુલાકાતીઓ ચાલવાની મજા માણી નહીં શકે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટેનું સૌથી જાણીતા એવા અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે, આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે.જેમાં એક સ્થળ પર કાચમાં તિરાડ પડતા તંત્ર દોડતું થયું હતું.નવા કાચ હજારોના ખર્ચે લગાવી દેવામાં આવ્યો છે.આ કારણથી આ બ્રિજની મુલાકાત લેનારાઓ કાચ ઉપર ચાલવાની મજા માણી નહીં શકે. બ્રિજ ઉપર અલગ અલગ કુલ આઠ સ્થળે કાચ લગાવવામા આવ્યા હતા.આ અગાઉ 80 હજારની કીંમતના તિરાડ પડેલા કાચને તંત્ર દ્વારા બદલવામા આવ્યો હતો.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટેનું સૌથી જાણીતા એવા અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે, આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. અત્યાર સુધી લોકો ઉપર ઊભા રહીને નીચે નદીનું પાણી જોઈ શકતા હતા અને ત્યાંથી તસવીરો, વીડિયો અને સેલ્ફી લેતા હતા. પરંતુ, માત્ર સાત મહિનામાં જ આ કાચ ઘસાઈ જતા સ્ક્રેચ પડ્યા હતા. રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોખંડની ગ્રીલ લગાવી દેવાઈ છે. જેથી હવે લોકો હવે ત્યાં ઊભા રહીને નહીં, પરંતુ લોખંડની ગ્રીલ પાસેથી ઊભા રહીને નીચે સીધું નદીમાં પાણી જોઈ શકશે. જોકે, આડસ મોકલવા માટે ગ્રીલ લગાવવા માટે લાખોનો ખર્ચ કરાયો છે.

અટલફુટ ઓવરબ્રિજ ઉપર અલગ અલગ આઠ સ્થળે 6 ફૂટ બાય પાંચ ફૂટના ગ્લાસ લગાવવામા આવેલા છે.પાંચ લેયરના ટફન ગ્લાસ છે.આ પ્રકારના કાચને મહત્તમ તાપમાને તૈયાર કરવામા આવે છે.એક કાચની કીંમત અંદાજે 70થી 80 હજારની હોય છે.આ પ્રકારનો ગ્લાસ એક હજારથી પંદરસો કીલો વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે એવો દાવો કરવામા આવ્યો હતો, તો આ ગ્લાસ તૂટી કેમ ગયો એ બાબત મુલાકાતીઓમાં ચર્ચાનુ કેન્દ્ર બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...