Friday, March 13, 2026

AMCના ફૂડ વિભાગની કાર્યવાહી, સુભાષબ્રિજ પાસે આવેલ છાસવાલા સહિત બે રેસ્ટોરન્ટ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMCના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બુધવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ અને લારીઓ વગેરે પર ચેકિંગ કરવામાં આવ્યું છે. ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણેનું લાઇસન્સ ન ધરાવતી સુભાષબ્રિજના સોપાન કોમ્પ્લેક્સમાં આવેલી છાસવાલા, અસારવાની ન્યુ પ્રભુ નામની રેસ્ટોરન્ટ અને થલતેજની હરિઓમ સેન્ટર નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. પાણીપુરી, દાબેલી, વડાપાવ સહિતની લારીઓ અને ફાસ્ટફૂડની દુકાનો પરથી 761 બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ આજે ચેકિંગ દરમિયાન સુભાષબ્રિજના સોપાન કોમ્પ્લેક્સમાં આવેલી છાસવાલા, અસારવાની ન્યુ પ્રભુ નામની રેસ્ટોરન્ટ અને થલતેજની હરિઓમ સેન્ટર નામની રેસ્ટોરન્ટ પાસે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે લાયસન્સ ન હોવાથી સીલ કરવામાં આવી હતી.

બુધવારે શહેરના પૂર્વ વિસ્તારમાં મણીનગર, અસારવા, થલતેજ અને સુભાષબ્રિજ, વાડજ, સહિતના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પાણીપુરી દાબેલી વડાપાવ સહિતની ફાસ્ટફૂડની લારીઓ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા બળેલું તેલ, બગડેલા શાકભાજી, ફ્રુટ પાણીપુરીનો માવો વગેરે મળી 761 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવતાં તેનો નાશ કરાયો હતો. જ્યારે ચટણી, સોસ, સિકંજી, લીંબુપાણી વગેરે પણ બિન આરોગ્યપ્રદ મળી આવતા 934 લીટર જેટલો તેનો પણ નાશ કરાયો હતો. દરરોજ અલગ અલગ બે થી ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલી વિવિધ ખાણીપીણીની દુકાનો શાક માર્કેટ વગેરે જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...