Tuesday, January 13, 2026

મિર્ચી ન્યુઝના અહેવાલની અસર : હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓને લઈને હાઉસીંગ બોર્ડ હરકતમાં

spot_img
Share

અમદાવાદ : ગઈકાલે મિર્ચી ન્યુઝ દ્વારા નવા વાડજ વિસ્તારમાં આવેલ નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ અહેવાલની ગંભીર નોંધ લેવામાં આવતા હરકતમાં આવ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તાબડતોબ ઉપરોક્ત દુર્ઘટનાઓ સ્થળોની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી હતી.

મિર્ચી ન્યુઝ દ્વારા ગત ગુરુવારના રોજ નવા વાડજમાં આવેલ નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી હોવાનો અહેવાલ પ્રકાશિત પ્રકાશિત કર્યો હતો.જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ અહેવાલની ગંભીર નોંધ લઈને અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ ત્રણેય દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રિડેવલપમેન્ટને લઈને પ્રાથમિક માહિતી મકાન માલિકને આપી. જો 75 ટકા સભ્યો તૈયાર થાય રિડેવલપમેન્ટ માટે બનતી મદદની ખાતરી આપી હતી.

આ અગાઉ પણ મિર્ચી ન્યુઝ દ્વારા પોતાની સામાજીક ફરજ સમજી લાખો હાઉસીંગ રહીશોના દસ્તાવેજ, રિડેવલપમેન્ટ સહિતના પડતર પ્રશ્નો ઉઠાવી રહ્યું છે જેને લોકો તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે અમદાવાદના નવા વાડજ સહીત સોલા વિસ્તારમાં લાખો રહીશો છેલ્લાં કેટલાય સમયથી રિડેવલપમેન્ટ માટે માંગણી કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....