Tuesday, January 13, 2026

1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, નોટ ગણવાનું મશીન મળ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયા બાદ એક બાદ એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક આરોપી નિલેશ રામીની ધરપકડ બાદ ચોકવાનારા ખુલાસા સામે આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદના નિલેશ રામીની ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી. જે બાદ આરોપી નિલેશના ઘરે વસ્ત્રાલમાં સર્ચ કરતા ક્રિકેટ સટ્ટાના વ્યવહારના 6 ચોપડા મળી આવ્યા.

1800 કરોડના સટ્ટા પ્રકરણમાં માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેની તપાસમાં એક પછી એક કડીઓ ખુલતી ગઈ પરંતુ આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે ગઈ અને આ તપાસ કરતા કેટલા પોલીસ કર્મચારીઓના નામ સામે આવતા તેની અમદાવાદની બહાર બદલી કરી દેવામાં આવી છે. હવે આ પ્રકરણમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ગુનામાં પકડી પડાયેલા તમામ આરોપીઓના ઘરે જઈ રેડ કરવામાં આવી રહી છે. જેને લઈ હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી રણવીરસિંહ રાજપૂત, ચેતન સોનારા અને પ્રવીણ ઉર્ફે ટીનો પ્રજાપતિના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રણવીરસિંહ રાજપૂતના ઘરેથી 22.20 લાખ રોકડા સાથે પૈસા ગણવાનું ઇલેક્ટ્રિકલ મશીન અને મોબાઇલ મળી આવ્યા હતા જે તમામ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે રિમાન્ડમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...