Friday, March 13, 2026

1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા, વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, નોટ ગણવાનું મશીન મળ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટના 1800થી 2000 કરોડના સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાયા બાદ એક બાદ એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક આરોપી નિલેશ રામીની ધરપકડ બાદ ચોકવાનારા ખુલાસા સામે આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદના નિલેશ રામીની ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી. જે બાદ આરોપી નિલેશના ઘરે વસ્ત્રાલમાં સર્ચ કરતા ક્રિકેટ સટ્ટાના વ્યવહારના 6 ચોપડા મળી આવ્યા.

1800 કરોડના સટ્ટા પ્રકરણમાં માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેની તપાસમાં એક પછી એક કડીઓ ખુલતી ગઈ પરંતુ આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે ગઈ અને આ તપાસ કરતા કેટલા પોલીસ કર્મચારીઓના નામ સામે આવતા તેની અમદાવાદની બહાર બદલી કરી દેવામાં આવી છે. હવે આ પ્રકરણમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીની ધરપકડ કરી હતી, જેની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓનાં કનેક્શન સામે આવ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ગુનામાં પકડી પડાયેલા તમામ આરોપીઓના ઘરે જઈ રેડ કરવામાં આવી રહી છે. જેને લઈ હાલમાં પકડાયેલા ત્રણેય આરોપી રણવીરસિંહ રાજપૂત, ચેતન સોનારા અને પ્રવીણ ઉર્ફે ટીનો પ્રજાપતિના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં રણવીરસિંહ રાજપૂતના ઘરેથી 22.20 લાખ રોકડા સાથે પૈસા ગણવાનું ઇલેક્ટ્રિકલ મશીન અને મોબાઇલ મળી આવ્યા હતા જે તમામ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે રિમાન્ડમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...