Tuesday, September 16, 2025

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ મેચના દિવસે કયો રોડ, ક્યારે રહેશે બંધ? જાણો વૈકલ્પિક રૂટ

Share

Share

અમદાવાદ: શું તમે આગામી 28 મેના રોજ રમાનાર IPL 2023ની મજા માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના છો? તો તમે ટ્રાફિકમાં ન અટવાઈ જાઓ તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે ખાસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે. આપના માટે એ જાણવું જરૂરી છે કે જ્યારે અમદાવાદમાં મેચ હશે ત્યારે મેચ દરમિયાન કેટલાક રોડ બંધ રહેશે. ચાલો, જોઈએ કેવી છે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા.

ઇન્ડીયન પ્રીમિયર લીગની સેમિફાનલ અને ફાઈનલ અમદાવાદમાં રમાવાની છે. જેમાં એક મેચ શુક્રવાર અને એક 28મી મેના રોજ રવિવારે યોજાશે. એક રિપોર્ટ મુજબ ટ્રાફિક વિભાગ વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈ જણાવે છે કે, ફાઈનલ અને સેમિફાઇનલ બંને મેચ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને લઇ 26મીએ બપોરે 2:00 વાગ્યાથી 27મી મેના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.

તેવી જ રીતે 28મી મેના રોજ ફાઈનલ મેચ માટે પણ બપોરે 2 વાગ્યાથી 29 મીના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોએ અવરજવર માટે તપોવન સર્કલથી ONGC થઈ વિસતથી પાવર હાઉસ સુધીનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકશે. તેમજ કૃપા રેસીડેન્સી થી ભાટ એપોલો સર્કલ વાળો વૈકલ્પિક રૂટ પર પણ અવર જવર કરી શકશે.

આ ઉપરાંત જે લોકો મેટ્રો, BRTS અને AMTSથી આવશે, તેઓ માટે પણ સમયની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. તેમજ પાર્કિંગ વ્યવસ્થા માટે સ્ટેડિયમ આસપાસ 17 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઇ છે જે બુક માય પાર્કિંગથી બુક કરાવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...