Saturday, November 8, 2025

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ મેચના દિવસે કયો રોડ, ક્યારે રહેશે બંધ? જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ: શું તમે આગામી 28 મેના રોજ રમાનાર IPL 2023ની મજા માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના છો? તો તમે ટ્રાફિકમાં ન અટવાઈ જાઓ તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે ખાસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે. આપના માટે એ જાણવું જરૂરી છે કે જ્યારે અમદાવાદમાં મેચ હશે ત્યારે મેચ દરમિયાન કેટલાક રોડ બંધ રહેશે. ચાલો, જોઈએ કેવી છે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા.

ઇન્ડીયન પ્રીમિયર લીગની સેમિફાનલ અને ફાઈનલ અમદાવાદમાં રમાવાની છે. જેમાં એક મેચ શુક્રવાર અને એક 28મી મેના રોજ રવિવારે યોજાશે. એક રિપોર્ટ મુજબ ટ્રાફિક વિભાગ વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈ જણાવે છે કે, ફાઈનલ અને સેમિફાઇનલ બંને મેચ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને લઇ 26મીએ બપોરે 2:00 વાગ્યાથી 27મી મેના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.

તેવી જ રીતે 28મી મેના રોજ ફાઈનલ મેચ માટે પણ બપોરે 2 વાગ્યાથી 29 મીના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોએ અવરજવર માટે તપોવન સર્કલથી ONGC થઈ વિસતથી પાવર હાઉસ સુધીનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકશે. તેમજ કૃપા રેસીડેન્સી થી ભાટ એપોલો સર્કલ વાળો વૈકલ્પિક રૂટ પર પણ અવર જવર કરી શકશે.

આ ઉપરાંત જે લોકો મેટ્રો, BRTS અને AMTSથી આવશે, તેઓ માટે પણ સમયની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. તેમજ પાર્કિંગ વ્યવસ્થા માટે સ્ટેડિયમ આસપાસ 17 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરાઇ છે જે બુક માય પાર્કિંગથી બુક કરાવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...