Saturday, January 17, 2026

IPL ફાઈનલને લઈને ગુજરાતીઓમાં જબરદસ્ત ઉત્સાહ, મોદી સ્ટેડિયમમાં આ સેલિબ્રિટીઓ પહોંચશે

spot_img
Share

અમદાવાદ : IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમવાની છે. IPLની ફાઇનલ મેચને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, ફાઈનલ પહેલા આજે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાઈ રહી છે. આ ક્વોલિફાયરમાં ફાઇનલમાં રમનારી બીજી ટીમ નક્કી કરવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ IPL 2023ની ફાઈનલ મેચ માટે તમામ વીઆઈપી અને સેલિબ્રિટીની સાથે ત્રણ દેશોના બોર્ડ પ્રમુખ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. એશિયાના ત્રણ મોટા દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના વડાઓ 28 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ જોવા માટે હાજર રહેશે.

આ દેશોના બોર્ડ ચીફના આગમનની પુષ્ટિ ખુદ IPL મેનેજમેન્ટે કરી છે. જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ નઝમુલ હસન, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મીરવાઈઝ અશરફ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ચીફ શમ્મી સિલ્વા સામેલ છે. BCCI સેક્રેટરી જય શાહના જણાવ્યા અનુસાર, આ દરમિયાન એશિયા કપ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ફાઈનલ મેચ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટિકિટો થોડા જ સમયમાં વેચાઈ ગઈ. આ પછી IPL ચાહકો નિરાશ થયા હતા, પરંતુ જ્યારે 25 મેના રોજ ઑફલાઇન ટિકિટનું વેચાણ શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને લોકો નીચે પડી ગયા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોએ ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદ મેટ્રો ફાઇનલના દિવસે રાતે 1.30 વાગ્યા સુધી સેવાઓ આપશે. મુલાકાતીઓની સુવિધા માટે, મેટ્રોએ મેટ્રો મુસાફરી માટે રૂ. 25ની મેન્યુઅલ ટિકિટ પણ ઉપલબ્ધ કરાવી છે. આ વિશેષ ટિકિટ સાથે, મુલાકાતીઓ મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી અન્ય કોઈપણ સ્ટેશન પર મુસાફરી કરી શકશે. મેટ્રોએ એટલા માટે કર્યું છે કે એ દિવસે ટિકિટ માટે લાઈનો ન લાગે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) એ ક્વોલિફાયર મેચથી જ આ વ્યવસ્થા શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...