Friday, March 13, 2026

IPL ફાઈનલને લઈને ગુજરાતીઓમાં જબરદસ્ત ઉત્સાહ, મોદી સ્ટેડિયમમાં આ સેલિબ્રિટીઓ પહોંચશે

spot_img
Share

અમદાવાદ : IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમવાની છે. IPLની ફાઇનલ મેચને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, ફાઈનલ પહેલા આજે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ક્વોલિફાયર-2 રમાઈ રહી છે. આ ક્વોલિફાયરમાં ફાઇનલમાં રમનારી બીજી ટીમ નક્કી કરવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ IPL 2023ની ફાઈનલ મેચ માટે તમામ વીઆઈપી અને સેલિબ્રિટીની સાથે ત્રણ દેશોના બોર્ડ પ્રમુખ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. એશિયાના ત્રણ મોટા દેશો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના વડાઓ 28 મેના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચ જોવા માટે હાજર રહેશે.

આ દેશોના બોર્ડ ચીફના આગમનની પુષ્ટિ ખુદ IPL મેનેજમેન્ટે કરી છે. જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ નઝમુલ હસન, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મીરવાઈઝ અશરફ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ચીફ શમ્મી સિલ્વા સામેલ છે. BCCI સેક્રેટરી જય શાહના જણાવ્યા અનુસાર, આ દરમિયાન એશિયા કપ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ફાઈનલ મેચ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટિકિટો થોડા જ સમયમાં વેચાઈ ગઈ. આ પછી IPL ચાહકો નિરાશ થયા હતા, પરંતુ જ્યારે 25 મેના રોજ ઑફલાઇન ટિકિટનું વેચાણ શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને લોકો નીચે પડી ગયા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોએ ખાસ તૈયારીઓ કરી છે. અમદાવાદ મેટ્રો ફાઇનલના દિવસે રાતે 1.30 વાગ્યા સુધી સેવાઓ આપશે. મુલાકાતીઓની સુવિધા માટે, મેટ્રોએ મેટ્રો મુસાફરી માટે રૂ. 25ની મેન્યુઅલ ટિકિટ પણ ઉપલબ્ધ કરાવી છે. આ વિશેષ ટિકિટ સાથે, મુલાકાતીઓ મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી અન્ય કોઈપણ સ્ટેશન પર મુસાફરી કરી શકશે. મેટ્રોએ એટલા માટે કર્યું છે કે એ દિવસે ટિકિટ માટે લાઈનો ન લાગે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) એ ક્વોલિફાયર મેચથી જ આ વ્યવસ્થા શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...