Saturday, November 8, 2025

અમદાવાદના આ વિસ્તારમાં શરૂ થયું AMC સામે પોસ્ટર વોર, સ્થાનિકોએ પોસ્ટર લગાવી પૂછ્યા પ્રશ્નો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મેઘાણીનગરની જનતાએ ચોમાસામાં રોડ, પાણી ભરાવવા સહિતની સમસ્યાઓને લઈને વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે. મેઘાણીનગરની જનતાએ AMC સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જનતાએ પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરીજનોએ તંત્ર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે. કારણ કે હાલમાં અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ પડેલા કમોસમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ શહેરીજનો આક્રમક મૂડમાં આવ્યા છે. અને AMC તંત્રને સવાલો કરી રહ્યા છે કે કઈ રીતે શું આગામી ચોમાસામાં પણ આવી જ સ્થિતિ અમદાવાદની હશે.

તમને જણાવી દઈએ કે ચોમાસા દરમ્યાન ઠેર-ઠેર પાણી ભરાવા, ડ્રેનેજ ઉભરાવી, લોકોના ઘરમાં પાણી ઘુસી જવા, ટ્રાફિક જામ થવો અને ભૂવા પડવા આ વાત અમદાવાદમાં દર ચોમાસે બને છે. અમદાવાદમાં દર ચોમાસે સર્જાતી નિયમિત સમસ્યા છે. તંત્ર ભલે ગમે તેવા બહાના કાઢે પરંતુ વારંવારની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદની જનતાએ વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે વિરોધનો આ રસ્તો કેટલા અંશે કારગત નીવડે છે ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...