Saturday, December 6, 2025

અમદાવાદના આ વિસ્તારમાં શરૂ થયું AMC સામે પોસ્ટર વોર, સ્થાનિકોએ પોસ્ટર લગાવી પૂછ્યા પ્રશ્નો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મેઘાણીનગરની જનતાએ ચોમાસામાં રોડ, પાણી ભરાવવા સહિતની સમસ્યાઓને લઈને વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે. મેઘાણીનગરની જનતાએ AMC સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જનતાએ પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરીજનોએ તંત્ર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે. કારણ કે હાલમાં અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ પડેલા કમોસમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ શહેરીજનો આક્રમક મૂડમાં આવ્યા છે. અને AMC તંત્રને સવાલો કરી રહ્યા છે કે કઈ રીતે શું આગામી ચોમાસામાં પણ આવી જ સ્થિતિ અમદાવાદની હશે.

તમને જણાવી દઈએ કે ચોમાસા દરમ્યાન ઠેર-ઠેર પાણી ભરાવા, ડ્રેનેજ ઉભરાવી, લોકોના ઘરમાં પાણી ઘુસી જવા, ટ્રાફિક જામ થવો અને ભૂવા પડવા આ વાત અમદાવાદમાં દર ચોમાસે બને છે. અમદાવાદમાં દર ચોમાસે સર્જાતી નિયમિત સમસ્યા છે. તંત્ર ભલે ગમે તેવા બહાના કાઢે પરંતુ વારંવારની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદની જનતાએ વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે વિરોધનો આ રસ્તો કેટલા અંશે કારગત નીવડે છે ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...