Sunday, March 15, 2026

ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર, વર્ધી પહેરીને રીલ્સ બનાવી શકાશે નહીં

spot_img
Share

અમદાવાદ : આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાધનને રીલ્સ અને ફોટા પોસ્ટ કરવાનું ગજબનું ઘેલું લાગ્યું છે. આમાં પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી, કેટલાક પોલીસ કર્મીઓના ઈન્સ્ટાગ્રામ પર હજારો અને લાખોમાં ફોલોવર્સ છે, આમાંના કેટલાક વર્ધી પહેરીને જ વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ત્યારે હવે પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે ગુજરાતના પોલીસ કર્મીઓ વર્ધી પહેરીને રીલ્સ કે વીડિયો બનાવી શકશે નહીં.

મીડીયા રિપોર્ટ મુજબ પોલીસને સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ માટે આ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે વર્ધી પહેરીને રિલ્સ, વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સંહિતા બહાર પડાઈ છે.

અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં થોડા ફેરફાર કરાયા છે. નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં.

પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર
– રાજ્ય પોલીસના અધિકારી-કર્મચારીઓ માટે પોલિસી જાહેર
– વર્ધી પહેરીને રીલ્સ,વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ
– પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું રાખવું પડશે ધ્યાન
– અગાઉ બહાર પાડેલી આચાર સંહિતામાં સમય સાથે ફેરફાર કરાયા
– નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી
– સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...