Friday, March 13, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં વાંદરાઓનો આતંક : લોકોને લાફા મારી બચકાં ભરી લીધાં

spot_img
Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલા પરિમલ સુવિધા વિસ્તારમાં વાંદરાના ઝૂંડે આતંક મચાવ્યો છે. કેટલાક લોકોને લાફા મારી બચકાં ભરી લીધા છે. કળશ-3 ફ્લેટના વોચમેન પર વાંદરાએ હુમલો કરી કમરના ભાગે બચકું ભરી લીધું છે. જ્યારે હોસ્પિટલમાં આવેલા એક કિશોર અને એક વૃદ્ધને લાફા માર્યા છે. આ ઉપરાંત બોપલમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વાંદરાઓના બે ઝુંડે લોકોને હેરાન કરતાં વન વિભાગને જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પાલડી પરિમલ સુવિધા વિસ્તાર અને બોપલમાં લોકો વાંદરાઓના આંતકથી ત્રસ્ત થઇ ગયા છે. સુવિધા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વાંદરાએ નાના બાળકો સહિત 5 લોકો ઉપર હુમલો કર્યો હોવાની માહિતી છે. મોટા ભાગે ખોરાકની શોધમાં માનવ વસ્તી આવી ચડતા વાંદરાઓ હુમલો કરી દેતા હોય છે.લોકોમાં તંત્ર અને વનવિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પણ રોષ પણ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલાં શહેરના માણેકચોક અને મણિનગર વિસ્તારમાં વાંદરાઓએ આતંક મચાવ્યો હતો. અનેક લોકોને વાંદરાઓએ બચકાં ભરવા સાથે લાફા માર્યા હતા. કેટલાક દિવસ સુધી લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તોફાની વાંદરાને પકડી પાડ્યો હતો. મણિનગરમાં તો બેથી ત્રણ સોસાયટીમાં ધાબા પર સૂઈ રહેલા 5થી વધુ લોકોને વાંદરાએ બચકાં ભરી લીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...