Saturday, January 24, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં વાંદરાઓનો આતંક : લોકોને લાફા મારી બચકાં ભરી લીધાં

spot_img
Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલા પરિમલ સુવિધા વિસ્તારમાં વાંદરાના ઝૂંડે આતંક મચાવ્યો છે. કેટલાક લોકોને લાફા મારી બચકાં ભરી લીધા છે. કળશ-3 ફ્લેટના વોચમેન પર વાંદરાએ હુમલો કરી કમરના ભાગે બચકું ભરી લીધું છે. જ્યારે હોસ્પિટલમાં આવેલા એક કિશોર અને એક વૃદ્ધને લાફા માર્યા છે. આ ઉપરાંત બોપલમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વાંદરાઓના બે ઝુંડે લોકોને હેરાન કરતાં વન વિભાગને જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પાલડી પરિમલ સુવિધા વિસ્તાર અને બોપલમાં લોકો વાંદરાઓના આંતકથી ત્રસ્ત થઇ ગયા છે. સુવિધા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વાંદરાએ નાના બાળકો સહિત 5 લોકો ઉપર હુમલો કર્યો હોવાની માહિતી છે. મોટા ભાગે ખોરાકની શોધમાં માનવ વસ્તી આવી ચડતા વાંદરાઓ હુમલો કરી દેતા હોય છે.લોકોમાં તંત્ર અને વનવિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પણ રોષ પણ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક સમય પહેલાં શહેરના માણેકચોક અને મણિનગર વિસ્તારમાં વાંદરાઓએ આતંક મચાવ્યો હતો. અનેક લોકોને વાંદરાઓએ બચકાં ભરવા સાથે લાફા માર્યા હતા. કેટલાક દિવસ સુધી લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ તોફાની વાંદરાને પકડી પાડ્યો હતો. મણિનગરમાં તો બેથી ત્રણ સોસાયટીમાં ધાબા પર સૂઈ રહેલા 5થી વધુ લોકોને વાંદરાએ બચકાં ભરી લીધા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...