Monday, June 8, 2026

અમદાવાદીઓ આનંદો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગતપુર ઓવરબ્રિજ ઉપરાંત બે ગાર્ડન સહિતના પ્રોજેક્ટના લોકાર્પણ કરશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના જગતપુર પાસે આવેલા રુપિયા રૂ.76.42 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી રહેલા જગતપુર રેલવે ઓવરબ્રિજની ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે જગતપુર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. એસ.જી.હાઈવેથી રાણીપ,ન્યૂ રાણીપ તથા ચાંદખેડા તરફ રોજ અંદાજે ૭૫ હજારથી વધુ લોકો માટે અવર-જવર કરવી સરળ બનશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે જગતપુર ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. અમદાવાદીઓને તા. 20 જૂનથી આ નવા રેલવે ઓવરબ્રિજનો લહાવો મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઇન લોકેશન પરના કિમી 510/6 અને 510/7 પર સરખેજ-ગાંધીનગર હાઈવેથી ચેનપુર-ગોદરેજ ગાર્ડન સિટી તરફ જતા રેલવે ક્રોસિંગ નંબર છ એટલે કે જગતપુર રેલવે ક્રોસિંગ પર રૂ.76.42 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાયો છે. આ ઉપરાંત ગાહેડ દ્વારા બનાવાયેલા થલતેજની તાજ હોટેલ પાસેનો બગીચો અને ન્યુ રાણીપનો ગાર્ડન તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે.

તમને જણાવી દઈએ કે જગતપુર ઓવરબ્રિજ ન્યૂ રાણીપ અને રાણીપ વિસ્તારને એસ.જી.હાઈવે સુધી જોડતા જગતપુર રેલવે ક્રોસીંગ ઉપર પી.પી.પી. ધોરણે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષ-2021માં કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રિજ નિર્માણ માટે ખાનગી કંપની દ્વારા રકમ મોડી જમા કરાવવામાં આવતા કામગીરી પણ મોડી શરુ કરવામા આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...