Friday, March 13, 2026

નવા વાડજની આ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરાઈ

spot_img
Share

અમદાવાદ : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે યોગસાધના દિવસ ઉજવાઇ રહ્યો છે ઠેર-ઠેર યોગના કાર્યક્રમોના આયોજન થયા છે. ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. 21-06-2023, બુધવારે શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500 થી વધુ વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ આસનો જેવા કે અનુલોમ-વિલોમ, કપાલભારતી તાડાસન, સૂર્યનમસ્કાર વગેરે આસનો દર્શાવી વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષકગણ દ્વારા નૃત્ય કરી યોગના વિવિધ આસનો દર્શાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારતીય યોગ સંસ્થાન, ગુજરાત પ્રાંત તરફથી તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી, જેમણે વિદ્યાર્થીઓને જીવનમાં યોગ તથા તંદુરસ્તીનું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આચાર્યના નિરીક્ષણમાં કરવામાં આવેલ. જેને ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેક્ટર જસ્મીનાબેન પટેલે હ્રદયપૂર્વક બિરદાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...