Wednesday, January 14, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે સૌથી ઉંચી આકાશી બિલ્ડિંગ, જે ગુજરાતમાં સૌથી ઉંચી બિલ્ડિંગ હશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે 42 માળની હશે. મહત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી 41 માળની એક કોમર્શિયલ ઈમારતનું પ્લાનિંગ થયું છે. તેના કરતા આ બિલ્ડિંગ એક માળ વધારે ઉંચી હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 42 માળની ગગનચુંબી ઈમારતમાં ૪ અને ૫ એપાર્ટમેન્ટ હશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી 34 માળની 11 બિલ્ડિંગો બનાવવાનું કામ હાલમાં ચાલુ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એસજી હાઈવે પરના રાજપથ ક્લબ પાસે રાજ્યની સૌથી ઊંચી 41 માળની ટાઇટેનિયમ વર્લ્ડ નામની બિલ્ડિંગ બનશે. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં બનનારી ઊંચી બિલ્ડીંગોમાં મોટા ભાગે રહેણાંકને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતોને આઇકોનિક બિલ્ડિંગની કિંમત પણ તેના જેવી ઊંચી જ હોય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે આવી બિલ્ડિંગમાં 12 કરોડ સુધીના ફ્લેટ વેચાઇ રહ્યા છે. વિશાળ જગ્યાઓ અને સ્વિમિંગ પુલ, હોમ થિયેટરથી લઇને અન્ય અનેક સુવિધાઓથી સજ્જ આવા બિલ્ડિંગના વેચાણ પણ ઝડપથી થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે. રાજ્ય સરકારે અગાઉ એફએસઆઇમાં ચોક્કસ નિયમો લાગુ કર્યા હોવાથી અમુક ઊંચાઈની જ બિલ્ડિંગ બનાવી શકાતી હતી. પરંતુ નવા સુધારેલા નિયમ પ્રમાણે શહેરમાં હવે એફએસઆઇમાં કોઇપણ લિમિટ સિવાય બાંધકામને મંજૂરી આપવામાં આવી રહી છે. જે માટે બિલ્ડરે એફએસઆઇ ખરીદવી પડે છે. આ સ્થિતિમાં શહેરમાં હવે આઇકોનિક બિલ્ડિંગની યુગ રારૂ થયો છે. જો કે રસ્તાની પહોળાઈ પ્રમાણે એફએસઆઈ આપવામાં આવે છે.

એસજી હાઈવે, બોડકદેવમાં ગગનચુંબી ઈમારતો બનશે-
વિસ્તાર મીટર માળ
એસજીહાઈવે 145 41
પકવાન ચારરસ્તા 138.95 35
થલતેજ-શીલજ ઓવરબ્રિજ 120 32
આંબલી રોડ, બોડકદેવ 118.80 29
એસજીહાઈવે, ગોતા 116.92 35
ઓફ સાયન્સ સિટી રોડ, સોલા 108.50 31

બિલ્ડિંગમાં હવે હાઈફાઈ સુવિધાઓઃ
બિલ્ડરને જમીનની કિંમતમાં ફાયદો થાય છે. – જોકે બાંધકામનો ખર્ચ વધે છે.
ક્લબ સ્ટાઇલ પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. નાગરિકોમાં અત્યારે 25 માળથી ઉપરમાં રહેવાનો એક નવો કેઝ જોવા મળ્યો છે.
પ્રોજેક્ટ પૂરો કરવા માટે સમયમર્યાદામાં વધારો થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...