Friday, May 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે સૌથી ઉંચી આકાશી બિલ્ડિંગ, જે ગુજરાતમાં સૌથી ઉંચી બિલ્ડિંગ હશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે 42 માળની હશે. મહત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી 41 માળની એક કોમર્શિયલ ઈમારતનું પ્લાનિંગ થયું છે. તેના કરતા આ બિલ્ડિંગ એક માળ વધારે ઉંચી હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 42 માળની ગગનચુંબી ઈમારતમાં ૪ અને ૫ એપાર્ટમેન્ટ હશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી 34 માળની 11 બિલ્ડિંગો બનાવવાનું કામ હાલમાં ચાલુ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એસજી હાઈવે પરના રાજપથ ક્લબ પાસે રાજ્યની સૌથી ઊંચી 41 માળની ટાઇટેનિયમ વર્લ્ડ નામની બિલ્ડિંગ બનશે. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં બનનારી ઊંચી બિલ્ડીંગોમાં મોટા ભાગે રહેણાંકને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતોને આઇકોનિક બિલ્ડિંગની કિંમત પણ તેના જેવી ઊંચી જ હોય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે આવી બિલ્ડિંગમાં 12 કરોડ સુધીના ફ્લેટ વેચાઇ રહ્યા છે. વિશાળ જગ્યાઓ અને સ્વિમિંગ પુલ, હોમ થિયેટરથી લઇને અન્ય અનેક સુવિધાઓથી સજ્જ આવા બિલ્ડિંગના વેચાણ પણ ઝડપથી થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે. રાજ્ય સરકારે અગાઉ એફએસઆઇમાં ચોક્કસ નિયમો લાગુ કર્યા હોવાથી અમુક ઊંચાઈની જ બિલ્ડિંગ બનાવી શકાતી હતી. પરંતુ નવા સુધારેલા નિયમ પ્રમાણે શહેરમાં હવે એફએસઆઇમાં કોઇપણ લિમિટ સિવાય બાંધકામને મંજૂરી આપવામાં આવી રહી છે. જે માટે બિલ્ડરે એફએસઆઇ ખરીદવી પડે છે. આ સ્થિતિમાં શહેરમાં હવે આઇકોનિક બિલ્ડિંગની યુગ રારૂ થયો છે. જો કે રસ્તાની પહોળાઈ પ્રમાણે એફએસઆઈ આપવામાં આવે છે.

એસજી હાઈવે, બોડકદેવમાં ગગનચુંબી ઈમારતો બનશે-
વિસ્તાર મીટર માળ
એસજીહાઈવે 145 41
પકવાન ચારરસ્તા 138.95 35
થલતેજ-શીલજ ઓવરબ્રિજ 120 32
આંબલી રોડ, બોડકદેવ 118.80 29
એસજીહાઈવે, ગોતા 116.92 35
ઓફ સાયન્સ સિટી રોડ, સોલા 108.50 31

બિલ્ડિંગમાં હવે હાઈફાઈ સુવિધાઓઃ
બિલ્ડરને જમીનની કિંમતમાં ફાયદો થાય છે. – જોકે બાંધકામનો ખર્ચ વધે છે.
ક્લબ સ્ટાઇલ પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. નાગરિકોમાં અત્યારે 25 માળથી ઉપરમાં રહેવાનો એક નવો કેઝ જોવા મળ્યો છે.
પ્રોજેક્ટ પૂરો કરવા માટે સમયમર્યાદામાં વધારો થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...