Wednesday, January 21, 2026

શનિવારે મોડી રાત્રે જમાલપુરમાં જૂથ અથડામણ, એક વાહનમાં આગચંપી અને પથ્થરમારો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કે જ્યાં હાલમાં જ રથયાત્રામાં કોમી એક્તાના દર્શન થયા હતા. ત્યાં જ શનિવારે મોડી રાત્રે બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જમાલપુર ચાર રસ્તા પાસે શનિવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી ગઈ હતી. બંને જૂથ વચ્ચેના ઝઘડામાં સામસામે પથ્થરમારો થયો હતો અને એક જૂથના વાહનમાં આગચંપી કરવામાં આવતાં નાસભાગ મચી ગઈ હતી.જમાલપુરની ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને ત્યાં તેના પ્રેમીની અવરજવર વધતા લોકોએ વિરોધ કર્યો હતો, જેથી બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં એક જૂથે વાહનમાં આગચંપી કરતા માહોલમાં તંગદિલી સર્જાઈ હતી અને બંને જૂથે સામસામે પથ્થરમારો શરૂ કરી દેતાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો જમાલપુર ચાર રસ્તા ખાતે આવી ગયો હતો અને પથ્થરમારો કરી રહેલા લોકોને કાબૂમાં કરી પકડવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ ફાયરબ્રિગેડે વાહનમાં લાગેલી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું. જોકે તે વખતે પણ કેટલાક લોકો હાથમાં પાઇપો લઈ વાતાવરણ ડોહળાવી રહ્યા હતા.

પોલીસ સૂત્રોનાના જણાવ્યા અનુસાર, બે જૂથ વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. જોકે શનિવારે એક યુવક બાઇક લઈ ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને મળવા આવતાં મામલો ગરમાયો હતો, જેને કારણે બોલાચાલી થતાં બે જૂથ ઉગ્ર બન્યા હતા અને જોત જોતામાં પથ્થમારો થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...