Wednesday, September 17, 2025

શનિવારે મોડી રાત્રે જમાલપુરમાં જૂથ અથડામણ, એક વાહનમાં આગચંપી અને પથ્થરમારો

Share

Share

અમદાવાદ : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કે જ્યાં હાલમાં જ રથયાત્રામાં કોમી એક્તાના દર્શન થયા હતા. ત્યાં જ શનિવારે મોડી રાત્રે બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જમાલપુર ચાર રસ્તા પાસે શનિવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી ગઈ હતી. બંને જૂથ વચ્ચેના ઝઘડામાં સામસામે પથ્થરમારો થયો હતો અને એક જૂથના વાહનમાં આગચંપી કરવામાં આવતાં નાસભાગ મચી ગઈ હતી.જમાલપુરની ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને ત્યાં તેના પ્રેમીની અવરજવર વધતા લોકોએ વિરોધ કર્યો હતો, જેથી બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં એક જૂથે વાહનમાં આગચંપી કરતા માહોલમાં તંગદિલી સર્જાઈ હતી અને બંને જૂથે સામસામે પથ્થરમારો શરૂ કરી દેતાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો જમાલપુર ચાર રસ્તા ખાતે આવી ગયો હતો અને પથ્થરમારો કરી રહેલા લોકોને કાબૂમાં કરી પકડવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ ફાયરબ્રિગેડે વાહનમાં લાગેલી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું. જોકે તે વખતે પણ કેટલાક લોકો હાથમાં પાઇપો લઈ વાતાવરણ ડોહળાવી રહ્યા હતા.

પોલીસ સૂત્રોનાના જણાવ્યા અનુસાર, બે જૂથ વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. જોકે શનિવારે એક યુવક બાઇક લઈ ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને મળવા આવતાં મામલો ગરમાયો હતો, જેને કારણે બોલાચાલી થતાં બે જૂથ ઉગ્ર બન્યા હતા અને જોત જોતામાં પથ્થમારો થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...