Friday, May 15, 2026

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, છેલ્લા 48 કલાકમાં વૃદ્ધ સહિત ત્રણના મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ફરી એક વખત અકસ્માત ઝોન બન્યું છે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં રોડ અકસ્માતમાં વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પોતાનું સ્વજન ગુમાવનાર પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. અકસ્માતના કેસો કોની બેદરકારી થી વધી રહેલા છે તે જાણવું જરૂરી બન્યું છે.

અમદાવાદમાં પરિવારે પોતાના એકના એક લાડકવાયા દીકરાને ગુમાવ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન તો કર્યું છતાં પણ રોડ અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોક ફેલાયો છે. આ પરિવારે પોતાના ઘડપણમાં સહારા એવા દીકરાને ગુમાવી દીધો છે. જો કે, ઘટના કઈક એવી છે કે, સોમવારે પરિમલ અંડરપાસમાં એક્ટિવા ચાલક નૈમિલ રાકેશકુમાર શાહને ટેમ્પા ચાલકએ ટક્કર મારતા નૈમિલ શાહ નીચે પટકાયો અને ટેમ્પો ચાલકે પાછળનું ટાયર નૈમિલના માથા પર ચઢાવી કચડી દીધુ હતું અને તેનું ઘટનાસ્થળે પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની બીજી ઘટનામાં જમાલપુરમાં રહેતા મોહસીન કુલતાવાલા મજુરી કામ કરે છે. મંગળવારે સવારના સમયે મોહસીનભાઈ ઘર પાસેની નવી મસ્જીદ પાસે ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે તેમને ટક્કર મારી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. એટલુ જ નહીં તેમની પાડોશમાં રહેતા 77 વર્ષીય અહેમદભાઈ નમાજ પઢવા ગયા હતા. તેઓને પણ કારે ટક્કર મારી હોવાથી તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અહેમદભાઈનું મોત નિપજ્યું હતુ. જ્યારે મોહસીનભાઈને ફેક્ચર થયું હતુ. જે મામલે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક કેતનકુમાર જીતુભાઈ મારવાડીની ધરપકડ કરી હતી.

અકસ્માતની ત્રીજી ઘટના ઓઢવમાં રહેતા 32 વર્ષીય ગંગાબેન પટણી ફ્રુટની લારી ધરાવી વેપાર કરે છે. ગત 26 તારીખે લારી લઈને ઓઢવ મહાકાળી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવેલી એએમટીએસ બસે લારી સાથે ગંગાબેનને ટક્કર મારી હતી. જેથી ગંગાબેન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અકસ્માતની ચોથી ઘટનામાં ગોમતીપુરમાં રહેતા 25 વર્ષીય રમેશભાઈ કટારા મજુરી કામ કરે છે. મંગળવારે રમેશભાઇ તેમના મિત્ર રાકેશ સાથે લોડીંગ રિક્ષા લઈને કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે હાથીજણ અદાણી સર્કલ પાસે અચાનક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેના કારણે રમેશભાઇ લોડીંગ રિક્ષા નિચે દબાઈ ગયા હતા. જ્યારે રાકેશ જમીન પર પટકાઈ પડતા ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ ગંભીર રીતે લોડીંગ રિક્ષા નીચે દબાયેલા રમેશને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો. જો કે સારવાર દરમિયાન રમેશભાઇનું મોત નિપજ્યું હતુ.

ત્યારે 48 કલાકમાં વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે. જોકે મૃતક નૈમિલના પિતા અને કાકાએ કહ્યું કે ટ્રાફિકના નિયમનું પાલન તો કર્યું છે પરંતુ એક અપીલ કરી છે કે હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમનું પાલન કરવું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...