Sunday, March 15, 2026

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, છેલ્લા 48 કલાકમાં વૃદ્ધ સહિત ત્રણના મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ફરી એક વખત અકસ્માત ઝોન બન્યું છે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં રોડ અકસ્માતમાં વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પોતાનું સ્વજન ગુમાવનાર પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. અકસ્માતના કેસો કોની બેદરકારી થી વધી રહેલા છે તે જાણવું જરૂરી બન્યું છે.

અમદાવાદમાં પરિવારે પોતાના એકના એક લાડકવાયા દીકરાને ગુમાવ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન તો કર્યું છતાં પણ રોડ અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોક ફેલાયો છે. આ પરિવારે પોતાના ઘડપણમાં સહારા એવા દીકરાને ગુમાવી દીધો છે. જો કે, ઘટના કઈક એવી છે કે, સોમવારે પરિમલ અંડરપાસમાં એક્ટિવા ચાલક નૈમિલ રાકેશકુમાર શાહને ટેમ્પા ચાલકએ ટક્કર મારતા નૈમિલ શાહ નીચે પટકાયો અને ટેમ્પો ચાલકે પાછળનું ટાયર નૈમિલના માથા પર ચઢાવી કચડી દીધુ હતું અને તેનું ઘટનાસ્થળે પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની બીજી ઘટનામાં જમાલપુરમાં રહેતા મોહસીન કુલતાવાલા મજુરી કામ કરે છે. મંગળવારે સવારના સમયે મોહસીનભાઈ ઘર પાસેની નવી મસ્જીદ પાસે ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે તેમને ટક્કર મારી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. એટલુ જ નહીં તેમની પાડોશમાં રહેતા 77 વર્ષીય અહેમદભાઈ નમાજ પઢવા ગયા હતા. તેઓને પણ કારે ટક્કર મારી હોવાથી તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અહેમદભાઈનું મોત નિપજ્યું હતુ. જ્યારે મોહસીનભાઈને ફેક્ચર થયું હતુ. જે મામલે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક કેતનકુમાર જીતુભાઈ મારવાડીની ધરપકડ કરી હતી.

અકસ્માતની ત્રીજી ઘટના ઓઢવમાં રહેતા 32 વર્ષીય ગંગાબેન પટણી ફ્રુટની લારી ધરાવી વેપાર કરે છે. ગત 26 તારીખે લારી લઈને ઓઢવ મહાકાળી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવેલી એએમટીએસ બસે લારી સાથે ગંગાબેનને ટક્કર મારી હતી. જેથી ગંગાબેન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અકસ્માતની ચોથી ઘટનામાં ગોમતીપુરમાં રહેતા 25 વર્ષીય રમેશભાઈ કટારા મજુરી કામ કરે છે. મંગળવારે રમેશભાઇ તેમના મિત્ર રાકેશ સાથે લોડીંગ રિક્ષા લઈને કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે હાથીજણ અદાણી સર્કલ પાસે અચાનક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેના કારણે રમેશભાઇ લોડીંગ રિક્ષા નિચે દબાઈ ગયા હતા. જ્યારે રાકેશ જમીન પર પટકાઈ પડતા ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ ગંભીર રીતે લોડીંગ રિક્ષા નીચે દબાયેલા રમેશને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો. જો કે સારવાર દરમિયાન રમેશભાઇનું મોત નિપજ્યું હતુ.

ત્યારે 48 કલાકમાં વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે. જોકે મૃતક નૈમિલના પિતા અને કાકાએ કહ્યું કે ટ્રાફિકના નિયમનું પાલન તો કર્યું છે પરંતુ એક અપીલ કરી છે કે હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમનું પાલન કરવું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...