Sunday, January 18, 2026

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, છેલ્લા 48 કલાકમાં વૃદ્ધ સહિત ત્રણના મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ફરી એક વખત અકસ્માત ઝોન બન્યું છે. શહેરમાં છેલ્લા 48 કલાકમાં રોડ અકસ્માતમાં વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પોતાનું સ્વજન ગુમાવનાર પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. અકસ્માતના કેસો કોની બેદરકારી થી વધી રહેલા છે તે જાણવું જરૂરી બન્યું છે.

અમદાવાદમાં પરિવારે પોતાના એકના એક લાડકવાયા દીકરાને ગુમાવ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન તો કર્યું છતાં પણ રોડ અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોક ફેલાયો છે. આ પરિવારે પોતાના ઘડપણમાં સહારા એવા દીકરાને ગુમાવી દીધો છે. જો કે, ઘટના કઈક એવી છે કે, સોમવારે પરિમલ અંડરપાસમાં એક્ટિવા ચાલક નૈમિલ રાકેશકુમાર શાહને ટેમ્પા ચાલકએ ટક્કર મારતા નૈમિલ શાહ નીચે પટકાયો અને ટેમ્પો ચાલકે પાછળનું ટાયર નૈમિલના માથા પર ચઢાવી કચડી દીધુ હતું અને તેનું ઘટનાસ્થળે પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની બીજી ઘટનામાં જમાલપુરમાં રહેતા મોહસીન કુલતાવાલા મજુરી કામ કરે છે. મંગળવારે સવારના સમયે મોહસીનભાઈ ઘર પાસેની નવી મસ્જીદ પાસે ઉભા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે તેમને ટક્કર મારી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. એટલુ જ નહીં તેમની પાડોશમાં રહેતા 77 વર્ષીય અહેમદભાઈ નમાજ પઢવા ગયા હતા. તેઓને પણ કારે ટક્કર મારી હોવાથી તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અહેમદભાઈનું મોત નિપજ્યું હતુ. જ્યારે મોહસીનભાઈને ફેક્ચર થયું હતુ. જે મામલે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક કેતનકુમાર જીતુભાઈ મારવાડીની ધરપકડ કરી હતી.

અકસ્માતની ત્રીજી ઘટના ઓઢવમાં રહેતા 32 વર્ષીય ગંગાબેન પટણી ફ્રુટની લારી ધરાવી વેપાર કરે છે. ગત 26 તારીખે લારી લઈને ઓઢવ મહાકાળી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બેફામ ગતિએ આવેલી એએમટીએસ બસે લારી સાથે ગંગાબેનને ટક્કર મારી હતી. જેથી ગંગાબેન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અકસ્માતની ચોથી ઘટનામાં ગોમતીપુરમાં રહેતા 25 વર્ષીય રમેશભાઈ કટારા મજુરી કામ કરે છે. મંગળવારે રમેશભાઇ તેમના મિત્ર રાકેશ સાથે લોડીંગ રિક્ષા લઈને કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે હાથીજણ અદાણી સર્કલ પાસે અચાનક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેના કારણે રમેશભાઇ લોડીંગ રિક્ષા નિચે દબાઈ ગયા હતા. જ્યારે રાકેશ જમીન પર પટકાઈ પડતા ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકોએ ગંભીર રીતે લોડીંગ રિક્ષા નીચે દબાયેલા રમેશને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો. જો કે સારવાર દરમિયાન રમેશભાઇનું મોત નિપજ્યું હતુ.

ત્યારે 48 કલાકમાં વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે. જોકે મૃતક નૈમિલના પિતા અને કાકાએ કહ્યું કે ટ્રાફિકના નિયમનું પાલન તો કર્યું છે પરંતુ એક અપીલ કરી છે કે હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમનું પાલન કરવું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...