Sunday, January 25, 2026

અમદાવાદ શહેર પોલીસનો નવતર પ્રયોગ : આ પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાયો, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે તેમના માનવીય અભિગમ સાથે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા બાળકોને બચાવી તેમની માટે સાનુકૂળ માહોલ મળી રહે તે માટે એક નવતર અભિગમ સાથે ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં મા ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો છે. રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તેમણે શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, નાના બાળકોમાંથી પોલીસનો ભય દૂર થાય તે હેતુથી અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ બનાવવામાં આવ્યો છે. જેનું અનાવરણ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થયુ હતુ. આ રૂમનો મુખ્ય હેતુ બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તે રહેશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના વિચારથી શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં આ રૂમ બનાવવામાં આવ્યો છે.

આ પ્રસંગે ચાઈલ્ડ ફ્રેન્ડલી વિષય પર સ્પેશિયલ ટ્રેનિંગ સેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખાસ કરીને બાળકો માટે સુધારાત્મક અને વિકાસશીલ અભિગમ માટેના સાનુકૂળ વાતાવરણનું સર્જન થાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો તે બદલ સમગ્ર શહેર પોલીસને અભિનંદન. હર્ષભાઈ સંઘવીએ આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ વિશેષ આભાર માન્યો હતો.

પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ રૂમમાં નાના બાળકો માટેના રમકડા, અભ્યાસમાં ઉપયોગી થાય તેવા રમકડા અને સાથે સાથે દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આજના સમયમાં બાળકો ઉપર વધારેમાં વધારે ધ્યાન આપી શકાય તે હેતુથી આ રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમ બનાવ્યા બાદ દરેક બાળકને પોલીસ પ્રત્યે એક મિત્ર ભાવના જાગશે અને પોલીસનો મિત્ર બનશે. પોલીસ બાળકોની સમસ્યા, જરૂરિયાત શું છે, તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

બાળકો સાથે થતા ગુનાઓ અને ઘટનાઓ થી અસરને દૂર કરીને બાળકોને સલામત રાખવા અને તેમને ગુનાખોરીમાંથી બહાર લાવવા અભિયાન શરૂ કર્યું. પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમની જેમ આગામી સમયમાં બાળકોના ઉપર વધારે ધ્યાન આપી શકાય અને તેમનું કાઉન્સિલ કરવા માટે આગામી સમયમાં બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રૂમ બનાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...