Friday, May 1, 2026

અમદાવાદ શહેર પોલીસનો નવતર પ્રયોગ : આ પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાયો, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે તેમના માનવીય અભિગમ સાથે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા બાળકોને બચાવી તેમની માટે સાનુકૂળ માહોલ મળી રહે તે માટે એક નવતર અભિગમ સાથે ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં મા ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો છે. રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તેમણે શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, નાના બાળકોમાંથી પોલીસનો ભય દૂર થાય તે હેતુથી અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ બનાવવામાં આવ્યો છે. જેનું અનાવરણ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે થયુ હતુ. આ રૂમનો મુખ્ય હેતુ બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તે રહેશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના વિચારથી શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં આ રૂમ બનાવવામાં આવ્યો છે.

આ પ્રસંગે ચાઈલ્ડ ફ્રેન્ડલી વિષય પર સ્પેશિયલ ટ્રેનિંગ સેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખાસ કરીને બાળકો માટે સુધારાત્મક અને વિકાસશીલ અભિગમ માટેના સાનુકૂળ વાતાવરણનું સર્જન થાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો તે બદલ સમગ્ર શહેર પોલીસને અભિનંદન. હર્ષભાઈ સંઘવીએ આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ વિશેષ આભાર માન્યો હતો.

પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ રૂમમાં નાના બાળકો માટેના રમકડા, અભ્યાસમાં ઉપયોગી થાય તેવા રમકડા અને સાથે સાથે દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આજના સમયમાં બાળકો ઉપર વધારેમાં વધારે ધ્યાન આપી શકાય તે હેતુથી આ રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમ બનાવ્યા બાદ દરેક બાળકને પોલીસ પ્રત્યે એક મિત્ર ભાવના જાગશે અને પોલીસનો મિત્ર બનશે. પોલીસ બાળકોની સમસ્યા, જરૂરિયાત શું છે, તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

બાળકો સાથે થતા ગુનાઓ અને ઘટનાઓ થી અસરને દૂર કરીને બાળકોને સલામત રાખવા અને તેમને ગુનાખોરીમાંથી બહાર લાવવા અભિયાન શરૂ કર્યું. પાલડી પોલીસ સ્ટેશનમાં બનાવેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમની જેમ આગામી સમયમાં બાળકોના ઉપર વધારે ધ્યાન આપી શકાય અને તેમનું કાઉન્સિલ કરવા માટે આગામી સમયમાં બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રૂમ બનાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...