Sunday, March 15, 2026

અમદાવાદમાં 5 ખાનગી ટેલિફોન કંપનીનો ત્રણ કરોડનો ટેક્સ બાકી, AMC દ્વારા કડક પગલાં ભરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ટેક્સ રિકવરી કરવા માટે જાહેર હરાજીથી લઈ અને બીજો નોંધાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ટેલિકોમ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. પાંચ જેટલી ટેલિકોમ કંપનીઓનો વર્ષ 2022-23નો રૂ. 3 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. જેને લઇ હવે ટેક્સ વિભાગ દ્વારા ઇજનેર વિભાગને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ટેલિકોમ કંપનીઓ દ્વારા બાકી ટેક્સની ભરપાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કેબલ નાખવા માટે રોડ ખોદવાની પરમિશન આપવી નહીં.

શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલીલિંક પ્રા. લી. અને રિલાયન્સ કોમ્યુનિકેશન જેવી ટેલિકોમ કંપનીઓનો રૂ. 3.05 કરોડનો ટેક્સ બાકી છે. ટેલિકોમ કંપનીઓને બાકી ટેક્સ તાત્કાલિક ભરવા બાબતે સંબંધિત ટેક્સ ઝોનલ કચેરી દ્વારા વારંવાર જાણ કરવામાં આવી છે. તેમજ છેલ્લી ચેતવણીની નોટિસ પણ આપવામાં આવી છે. તેમ છતાં કંપનીઓ દ્વારા ટેક્સની ચૂક્વણી કરવામાં આવી નથી. જેથી હવે પછી આ બાબત અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે કે, જ્યાં સુધી પૂરેપૂરા ટેક્સની વસૂલાત ના થાય ત્યાં સુધી આ ટેલિકોમ કંપનીઓને રોડ ઓપનિંગ પરમિટ (RO પરમિટ) આપવામાં આવશે નહીં, આ ઉપરાંત જો બાકી ટેક્સની ભરપાઈ ન થાય તો કલમ-45, 46 મુજબ નોટિસ બજાવી સીલીંગ તથા હરાજી સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...