Tuesday, January 20, 2026

અમદાવાદમાં 5 ખાનગી ટેલિફોન કંપનીનો ત્રણ કરોડનો ટેક્સ બાકી, AMC દ્વારા કડક પગલાં ભરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ટેક્સ રિકવરી કરવા માટે જાહેર હરાજીથી લઈ અને બીજો નોંધાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ટેલિકોમ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. પાંચ જેટલી ટેલિકોમ કંપનીઓનો વર્ષ 2022-23નો રૂ. 3 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. જેને લઇ હવે ટેક્સ વિભાગ દ્વારા ઇજનેર વિભાગને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ટેલિકોમ કંપનીઓ દ્વારા બાકી ટેક્સની ભરપાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કેબલ નાખવા માટે રોડ ખોદવાની પરમિશન આપવી નહીં.

શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલીલિંક પ્રા. લી. અને રિલાયન્સ કોમ્યુનિકેશન જેવી ટેલિકોમ કંપનીઓનો રૂ. 3.05 કરોડનો ટેક્સ બાકી છે. ટેલિકોમ કંપનીઓને બાકી ટેક્સ તાત્કાલિક ભરવા બાબતે સંબંધિત ટેક્સ ઝોનલ કચેરી દ્વારા વારંવાર જાણ કરવામાં આવી છે. તેમજ છેલ્લી ચેતવણીની નોટિસ પણ આપવામાં આવી છે. તેમ છતાં કંપનીઓ દ્વારા ટેક્સની ચૂક્વણી કરવામાં આવી નથી. જેથી હવે પછી આ બાબત અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે કે, જ્યાં સુધી પૂરેપૂરા ટેક્સની વસૂલાત ના થાય ત્યાં સુધી આ ટેલિકોમ કંપનીઓને રોડ ઓપનિંગ પરમિટ (RO પરમિટ) આપવામાં આવશે નહીં, આ ઉપરાંત જો બાકી ટેક્સની ભરપાઈ ન થાય તો કલમ-45, 46 મુજબ નોટિસ બજાવી સીલીંગ તથા હરાજી સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...