Thursday, March 5, 2026

નવા વાડજની જિગીષા સ્પેશિયાલીટી હોસ્પિટલમાં રાહત દરે ઓપીડીનો પ્રારંભ, ડો.રિયા શાહ દર રવિવારે દર્દીઓને તપાસશે

spot_img
Share

અમદાવાદ : શહેરના જુનાવાડજથી અખબારનગર અને અખબારનગરથી RTO જવાના રોડ પર અસંખ્ય હોસ્પિટલ અને વૈવિધ્યસભર સ્પેશ્યાલીસ્ટને લીધે આપણું નવા વાડજ આજે મેડિકલ હબ બનતું જાય છે એમ કહીએ તો નવાઈ નથી.

આપણા વિસ્તારને વર્ષોથી મેડિકલની સેવા આપી લોકોનો વિશ્વાસ જીતનાર ડોકટરની જો વાત કરીએ તો જિગીષા મેટરનિટી હોસ્પિટલ અને તેના સંચાલક ડો.જીજ્ઞેશ શાહ અને ડો.જિગીષાબેન શાહને અવગણી ના શકાય. સ્ત્રીઓને પ્રસુતિની સુવિધાથી લઇ અને જીણામાં જીણા રોગનું નિદાન કરનાર બંને ડોકટર પતિ-પત્નીના વર્ષોના વ્યવસાય સાથે સેવાકાર્યને ઈશ્વરે વરદાન સ્વરૂપ દીકરી આપી છે.અને તે દીકરી એટલે ડો.રિયા શાહ. હવે માતા-પિતાના સેવાયજ્ઞમાં ટેકો કરવા ડો.રિયા ગાયનેકોલોજિસ્ટની ડિગ્રી એ પણ ગોલ્ડ મેડલ સાથે મેળવી જિગીષા સ્પેશિયાલીટી હોસ્પિટલમાં જોડાયા છે.

ડો.રિયા શાહ ખૂબ જ સેવાભાવી સ્વભાવની સાથે પોતાના ફિલ્ડ પર સારું પ્રભુત્વ પણ ધરાવે છે.’મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવતને સાર્થક કરનાર ડો. રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે માતા-પિતા પાસે કામ કરવાનો અને શીખવાનો અનુભવ કેવો રહ્યો ત્યારે તેમનું કહેવું હતું કે બંનેનો સહકાર, સાથ અને આશીર્વાદ હંમેશા મારી સાથે છે, અને મને ઈશ્વરમાં શ્રદ્ધા છે કે હું એમના વિશ્વાસને સાર્થક કરીશ.

ડો. જીજ્ઞેશભાઈ શાહ દીકરી આગમનની લાગણીથી ભાવવિભોર થઈ અને બોલ્યા કે આ વિસ્તારના નાગરિકોએ અમને હંમેશા સહકાર આપ્યો છે ત્યારે અમે આજે આ કક્ષાએ પહોંચ્યા છીએ. અને તેથી જ અમે નક્કી કર્યું છે કે દર રવિવારે રાહત દરની ઓપીડી નવા કેસના 200/- રૂપિયા ટોકન ફી લઈને દર્દીઓને રાહત મળે એ દરેક સારવાર આપવી અને અમારી જેમ અમારી દીકરીને પણ એનામાં રહેલ યોગ્યતા માટે પૂરતો સહકાર મળે એ નમ્ર પ્રયાસ કરવો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...