Tuesday, January 13, 2026

નવા વાડજની જિગીષા સ્પેશિયાલીટી હોસ્પિટલમાં રાહત દરે ઓપીડીનો પ્રારંભ, ડો.રિયા શાહ દર રવિવારે દર્દીઓને તપાસશે

spot_img
Share

અમદાવાદ : શહેરના જુનાવાડજથી અખબારનગર અને અખબારનગરથી RTO જવાના રોડ પર અસંખ્ય હોસ્પિટલ અને વૈવિધ્યસભર સ્પેશ્યાલીસ્ટને લીધે આપણું નવા વાડજ આજે મેડિકલ હબ બનતું જાય છે એમ કહીએ તો નવાઈ નથી.

આપણા વિસ્તારને વર્ષોથી મેડિકલની સેવા આપી લોકોનો વિશ્વાસ જીતનાર ડોકટરની જો વાત કરીએ તો જિગીષા મેટરનિટી હોસ્પિટલ અને તેના સંચાલક ડો.જીજ્ઞેશ શાહ અને ડો.જિગીષાબેન શાહને અવગણી ના શકાય. સ્ત્રીઓને પ્રસુતિની સુવિધાથી લઇ અને જીણામાં જીણા રોગનું નિદાન કરનાર બંને ડોકટર પતિ-પત્નીના વર્ષોના વ્યવસાય સાથે સેવાકાર્યને ઈશ્વરે વરદાન સ્વરૂપ દીકરી આપી છે.અને તે દીકરી એટલે ડો.રિયા શાહ. હવે માતા-પિતાના સેવાયજ્ઞમાં ટેકો કરવા ડો.રિયા ગાયનેકોલોજિસ્ટની ડિગ્રી એ પણ ગોલ્ડ મેડલ સાથે મેળવી જિગીષા સ્પેશિયાલીટી હોસ્પિટલમાં જોડાયા છે.

ડો.રિયા શાહ ખૂબ જ સેવાભાવી સ્વભાવની સાથે પોતાના ફિલ્ડ પર સારું પ્રભુત્વ પણ ધરાવે છે.’મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવતને સાર્થક કરનાર ડો. રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે માતા-પિતા પાસે કામ કરવાનો અને શીખવાનો અનુભવ કેવો રહ્યો ત્યારે તેમનું કહેવું હતું કે બંનેનો સહકાર, સાથ અને આશીર્વાદ હંમેશા મારી સાથે છે, અને મને ઈશ્વરમાં શ્રદ્ધા છે કે હું એમના વિશ્વાસને સાર્થક કરીશ.

ડો. જીજ્ઞેશભાઈ શાહ દીકરી આગમનની લાગણીથી ભાવવિભોર થઈ અને બોલ્યા કે આ વિસ્તારના નાગરિકોએ અમને હંમેશા સહકાર આપ્યો છે ત્યારે અમે આજે આ કક્ષાએ પહોંચ્યા છીએ. અને તેથી જ અમે નક્કી કર્યું છે કે દર રવિવારે રાહત દરની ઓપીડી નવા કેસના 200/- રૂપિયા ટોકન ફી લઈને દર્દીઓને રાહત મળે એ દરેક સારવાર આપવી અને અમારી જેમ અમારી દીકરીને પણ એનામાં રહેલ યોગ્યતા માટે પૂરતો સહકાર મળે એ નમ્ર પ્રયાસ કરવો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...