Tuesday, January 20, 2026

ઓગણજ સર્કલ પાસે પોલીસકર્મીઓના દંપત્તિ પાસેથી 60 હજારના તોડ મામલે ત્રણની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : પોલીસની કામગીરી કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. પોલીસ ક્યારેક એવા કામ કરે છે કે લોકો તેની પ્રશંસા કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો લોકોની સેવા કરવાના બદલે ખોટા કામ કરે ત્યારે આ ખાખી પર ડાઘ લાગતા હોય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપત્તિ પાસે 60 હજાર રૂપિયાના તોડકાંડમાં બે પોલીસ કર્મી સહિત એક TRB જવાનની સોલા પોલીસે ધરકકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ સર્કલ પાસે એરપોર્ટથી એક પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, એ દરમિયાન જ આરોપી પોલીસ કર્મીઓએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા હતા. મધ્યરાત્રીના અરસા દરમિયાન કારને રોકીને વેપારી પાસે 2 લાખ રુપિયાની માંગ 2 પોલીસ કર્મીઓએ કરી હતી. પૈસા હાથ પર રોકડ રુપે નહીં હોઈએ પોલીસ કર્મીઓને રકમ એટીએમમાંથી જ ઉપાડીને આપ્યા હતા. A ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીએ એક દંપત્તિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરતા પોલીસ કર્મીઓ ASI મુકેશભાઈ રામભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરીને હવે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

સોલા પોલીસે પોલીસ કર્મીઓની ધરપકડ કરતા આ કેસમાં લાંચ રૂશ્વત કેસની કલમનો ઉમેરો કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે એ પણ તપાસ શરુ કરી છે કે આ સિવાય અન્ય લોકો પાસેથી પણ આ પ્રકારે પૈસા પડાવ્યા છે કેમ ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...