Sunday, March 15, 2026

નારણપુરામાં ઓટો પાર્ટ્સનો વેપારી લૂંટાયો, 7 લાખ અને એક્ટિવા લઈને લૂંટારૂઓ ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરામાં શનિવારે રાતે મિર્ઝાપુરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી સાથે લૂંટની ઘટના બનતાની સાથે જ નારણપુરા પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ દોડતી થઈ હતી. નારણપુરામાં ધરતી વિકાસ સર્કલથી વિજયનગર સ્કૂલ તરફ જવાના માર્ગ પર છરો બતાવી વેપારીનું એક્ટિવા અને તેમાં રહેલા 7 લાખની લૂંટથી શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે.​​​​​​​ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં રહેતા અને મિર્ઝાપુરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી શનિવારે રાત્રે દુકાનનું કામ પતાવીને પોતાના એક્ટિવા પર સામાન અને 7 લાખ રૂપિયા રોકડા લઈને પલ્લવ ચાર રસ્તા તરફ ઘરે જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નારણપુરામાં આવેલ ધરતી વિકાસ સર્કલથી વિજયનગર સ્કૂલ તરફ જઈ રહ્યાં હતા ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ વેપારીના એક્ટિવાની ચાવી ખેંચીને કાઢી લીધી હતી.સમગ્ર પરિસ્થિતિ જોઈને પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારીને ફોન કરી બોલાવ્યો. પરંતુ કર્મચારી આવે તે પહેલા જ એક્ટિવાની ચાવી ખેંચીને કાઢી લેનાર બે બાઇક સવાર પૈકી એક બાઇક ચાલક યુવક વિજયનગર ચાર રસ્તા તરફથી ચાલતો વેપારી પાસે આવ્યો હતો. તે યુવાનના હાથમાં છરો અને કવર હતુ. યુવાને લાલ ટી-શર્ટ અને ક્રિમ કલરનું પેન્ટ પહેર્યું હતુ. હિન્દીમાં વાત કરતા યુવકે વેપારીને છરો બતાવી એક્ટિવાથી દૂર જતુ રહેવા કહ્યું હતું.

વેપારી એક્ટિવા પાસેથી દૂર જતા જ તે યુવાન એક્ટિવામાં પડેલા 7 લાખ રૂપિયા અને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો. એક્ટિવા, ઓટો પાર્ટ્સ સહિત કુલ 7.21 લાખ રૂપિયાની લૂંટ થતા વેપારીએ પોલીસને જાણ કરી. બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તથા સમગ્ર મામલે વેપારીની ફરિયાદ નોંધીને આગળ વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...