Friday, January 23, 2026

નારણપુરામાં ઓટો પાર્ટ્સનો વેપારી લૂંટાયો, 7 લાખ અને એક્ટિવા લઈને લૂંટારૂઓ ફરાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરામાં શનિવારે રાતે મિર્ઝાપુરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી સાથે લૂંટની ઘટના બનતાની સાથે જ નારણપુરા પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ દોડતી થઈ હતી. નારણપુરામાં ધરતી વિકાસ સર્કલથી વિજયનગર સ્કૂલ તરફ જવાના માર્ગ પર છરો બતાવી વેપારીનું એક્ટિવા અને તેમાં રહેલા 7 લાખની લૂંટથી શહેરની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે.​​​​​​​ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરામાં રહેતા અને મિર્ઝાપુરમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારી શનિવારે રાત્રે દુકાનનું કામ પતાવીને પોતાના એક્ટિવા પર સામાન અને 7 લાખ રૂપિયા રોકડા લઈને પલ્લવ ચાર રસ્તા તરફ ઘરે જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નારણપુરામાં આવેલ ધરતી વિકાસ સર્કલથી વિજયનગર સ્કૂલ તરફ જઈ રહ્યાં હતા ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ વેપારીના એક્ટિવાની ચાવી ખેંચીને કાઢી લીધી હતી.સમગ્ર પરિસ્થિતિ જોઈને પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારીને ફોન કરી બોલાવ્યો. પરંતુ કર્મચારી આવે તે પહેલા જ એક્ટિવાની ચાવી ખેંચીને કાઢી લેનાર બે બાઇક સવાર પૈકી એક બાઇક ચાલક યુવક વિજયનગર ચાર રસ્તા તરફથી ચાલતો વેપારી પાસે આવ્યો હતો. તે યુવાનના હાથમાં છરો અને કવર હતુ. યુવાને લાલ ટી-શર્ટ અને ક્રિમ કલરનું પેન્ટ પહેર્યું હતુ. હિન્દીમાં વાત કરતા યુવકે વેપારીને છરો બતાવી એક્ટિવાથી દૂર જતુ રહેવા કહ્યું હતું.

વેપારી એક્ટિવા પાસેથી દૂર જતા જ તે યુવાન એક્ટિવામાં પડેલા 7 લાખ રૂપિયા અને એક્ટિવા લઇને ફરાર થઇ ગયો હતો. એક્ટિવા, ઓટો પાર્ટ્સ સહિત કુલ 7.21 લાખ રૂપિયાની લૂંટ થતા વેપારીએ પોલીસને જાણ કરી. બનાવની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તથા સમગ્ર મામલે વેપારીની ફરિયાદ નોંધીને આગળ વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...