Thursday, January 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર PCBના દરોડા, 19 જુગારીઓ સહીત 46 લાખનો મુદ્દામાલ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : જન્માષ્ટમી નજીક આવતાં શ્રાવણીયા જુગારીયાઓ ખુલ્લેઆમ જુગાર રમતા ડરતા નથી. આવા જુગારીઓને પોલીસનો ખોફ પણ નથી. અમદાવાદના સૌથી હાઈ પ્રોફાઈલ ગણાતા એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા નજીક જુગારનો અડ્ડો ઝડપાયો છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સરહદ વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. PCBએ દરોડો પાડીને 19 આરોપીઓને ઝડપી લઈ 46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં એસજી હાઈવે પર ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારધામ પર PCB એ દરોડા પાડી જુગાર રમી રહેલ 19 જુગારીયાઓ સહિત સાણંદ APMC ચેરમેનને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓને જુગાર રમવા માટે ન્યૂયોર્ક ટાવરમાં 9 માં માળે ઓફિસ ભાડે રાખી હતી. આ જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ ચલાવતો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું. જુગારીયાઓ પૈસા ગણવા માટે મશીન પણ રાખતા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ PCB શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. ચૌધરીને બાતમી મળી હતી કે, થલતેજ પાસે આવેલ ન્યૂયોર્ક ટાવરની અંદર 9 માં માળે બહારથી ખેલીઓ બોલીવી જુગાર રમી રમાતો હોવાની બાતમીનાં આધારે નવમાં માળે જઈ તપાસ કરતા ધર્મેન્દ્ર પટેલ જે પોતાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા 19 જુગારીયાઓ મળી તેમજ રોકડ રકમ, પૈસા ગણવાનું મશીન તેમજ ગાડીઓ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીયાઓ
1.ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ (રહે. ઉંઝા)
2. મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર (રહે. ઈન્દ્રપ્રસ્થ-8, થલતેજ, અમદાવાદ)
3. કાળુજુ શકરાજી ડાભી (રહે. નિધરાડ, તા.સાણંદ, જી, અમદાવાદ)
4. જયેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા રહે. આશા સોસાયટી, સાણંદ
5. મનીષ ગોવિંદભાઈ પટેલ રહે. સ્ટલીંગ સીટી, બોપલ, અમદાવાદ
6. ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ રહે. ઉંઝા
7. ઘેલુભા મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા રહે. વાલકેશ્વર, સાણંદ
8. અમીરાભાઈ શંકરભાઈ જોષી રહે. ચન્દ્રનગર, ઉંઝા
9.ધર્મેન્દ્રકુમાર ધીરજભાઈ પટેલ રહે. તીર્થધામ, ઉંઝા
10.રાજેશકુમાર જેઠાભાઈ પટેલ રહે. ટુન્ડાવ, ઉંઝા
11. ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી રહે. વિશાલ રેસીડન્સી, અમદાવાદ,
12.દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર રહે. પોપ્યુલર ડોમેન, બોડકદેવ, અમદાવાદ
13.ધર્મેશ કાળીદાસ પટેલ રહે. એસ.જી.હાઈવે, અમદાવાદ
14.ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. વાઠવાડી, તા. મહેમદાવાદ
15. તેજાભાઈ કરશનભાઈ તુરી રહે. પંચાસર, તા. શંખેશ્વર
16. સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપૂત રહે. રબારીવાસ, મેમનગર, અમદાવાદ
17. મોહનભાઈ નવલભાઈ કલાલ રહે. પ્રજાપતી વાસ, આંબલી, અમદાવાદ
18.દેવીલાલ ભીમજીભાઈ પ્રજાપતિ રહે. ઉપરગામ, રાજસ્થાન
19. ગંગારામ મોગજી પટેલ રહે. નૌલી, જી. ઉદયપુર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...