Saturday, January 24, 2026

E-MEMO ના નામે લોકોને ડરાવી રૂપિયા પડાવી લેનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસના નામે હજારો વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈ-મેમોના નામે વાહનચાલકોને ડરાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે હજારો લોકોએ ટ્રાફિક દંડની રકમ આરોપીઓના કહેવાથી ભરી દીધી છે તેમના ઈ-ચલણ રદ થશે કે કેમ તે સૌથી ગંભીર પ્રશ્ન છે.

ટ્રાફિક ઈ ચલણ ના નામે લોકોને ડરાવી કોર્ટમાં જવાની ધમકી આપી બનાવટી લિંક મોકલી લાખો રૂપિયા પડાવનાર ઝારખંડના સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુધાંશુ એ આ ગુનામાં તેના અન્ય બે આરોપી રાજેશ તથા સપ્તમ કુમાર નંદન સાથે મળી છેલ્લા 8 મહિનાથી આ કૌભાંડ ચલાવતો હતો. જોકે આ આખા કૌભાંડના પડદા પાછળ પલ્ટન દાસ નામનો એક મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જે મૂળ ઝારખંડનો છે. અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે. કે રાજેશ નામના આરોપીએ કૌભાંડ કેવી રીતે કરવું તે શીખવ્યું હતું. જોકે લિંક કેવી રીતે બનાવવી, યુપીઆઈડી કેવી રીતે મોકલવા. તથા સીમકાર્ડ અને અલગ અલગ જરૂરિયાતો પલ્ટન દાસ પૂરી પાડતો હતો. જેના તેને 20 ટકા રૂપિયા મળતા હતા.

આરોપીઓની મોર્ડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો અમદાવાદ ટ્રાફિક વિભાગની વેબસાઈટ ખોલી કોઈપણ વાહનનો નંબર નાખી, તેમાં ઇ-ચલણ છે કે કેમ તે ચેક કરતા હતા. બાદમાં જો કોઈ ઈ-ચલણ બાકી હોય તેવા વાહનોની માહિતી રોયલ સુંદરમ ઇન્સ્યોરન્સ કંપનીના વેબસાઈટ પર જઈ તે વાહનની ચેચીસ તથા એન્જિન નંબર મેળવી લેતા હતા. જે બાદ એમ-પરિવહન વેબસાઈટ પરથી વાહન માલિકનો મોબાઇલ નંબર મેળવી બાકી રહેલા દંડ મામલે ધમકાવતા અને બનાવટી લિંક મોકલી ઈ-ચલણ ભરાવી દંડની રકમ પોતે મેળવી લેતા હતા. આ આખું કૌભાંડ રાજેશ નામના આરોપીએ લોકોને શીખવ્યું હતું કારણ કે તે કલકત્તામાં ઈ-મેમોના દંડ ભરવાનું ગેરકાયદેસર કામ કરતો હતો.

ગુજરાતમાંથી અંદાજિત દસ લાખથી વધુ ની રકમ આરોપીઓ છેલ્લા આઠ મહિનામાં મેળવી ચૂક્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ટ્રાફિક પોલીસના નામે દંડ ભરનાર વાહન ચાલકોને તે ચલણના દંડ માંથી મુક્તિ મળશે કે કેમ, સાથે જ આ ગુનાના અન્ય ત્રણ આરોપી ઝડપાયા બાદ શું નવી હકીકત સામે આવે છે. તે જોવું મહત્વનું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...