Wednesday, January 14, 2026

અમદાવાદની HL કોલેજ પાસે નબીરાએ ધોળા દિવસે આતંક મચાવ્યો, 3 લારી સહીત બે લોકોને લીધા અડફેટે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની HL કોલેજ નજીક નબીરાએ ધોળા દિવસે આતંક મચાવ્યાનું સામે આવ્યું છે. નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી 3 લારી ઉડાડી હતી તેમજ રસ્તા પર જતી એક બાળકી અને યુવકને અડફેટે લીધા હતા, આથી બન્નેને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે. સદનસીબે ભીડ ઓછી હોવાથી તથ્ય પટેલવાળી થતાં અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત અહેવાલ મુજબ આજે અમદાવાદની HL કોલેજ પાસે એક નબીરો પૂરપાટ ઝડપે કાર ચલાવતો આવતો હતો, જોકે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પર ઊભી રહેલી 3 લારી સાથે અથડાવી હતી તેમજ રસ્તા પર જતી બાળકી અને યુવકને પણ ફંગોળ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.આ રોડ યુવાઓથી ધમધમતો રહે છે તેમજ રોડ પર ખાણીપીણીની લારીઓ પણ ઊભી રહે છે, પરંતુ બનાવની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.સદનસીબે લોકોની ભીડ ઓછી હોવાથી તથ્ય પટેલે કરેલા અકસ્માત જેવો અકસ્માત થતાં રહી ગયો હતો.

અકસ્માત બાદ ટ્રાફિક-પોલીસે ક્રેન વડે અકસ્માત કરનારી ગાડીને ટોઈંગ કરી હતી. કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...