Friday, March 13, 2026

અમદાવાદની HL કોલેજ પાસે નબીરાએ ધોળા દિવસે આતંક મચાવ્યો, 3 લારી સહીત બે લોકોને લીધા અડફેટે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની HL કોલેજ નજીક નબીરાએ ધોળા દિવસે આતંક મચાવ્યાનું સામે આવ્યું છે. નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી 3 લારી ઉડાડી હતી તેમજ રસ્તા પર જતી એક બાળકી અને યુવકને અડફેટે લીધા હતા, આથી બન્નેને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે. સદનસીબે ભીડ ઓછી હોવાથી તથ્ય પટેલવાળી થતાં અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત અહેવાલ મુજબ આજે અમદાવાદની HL કોલેજ પાસે એક નબીરો પૂરપાટ ઝડપે કાર ચલાવતો આવતો હતો, જોકે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પર ઊભી રહેલી 3 લારી સાથે અથડાવી હતી તેમજ રસ્તા પર જતી બાળકી અને યુવકને પણ ફંગોળ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.આ રોડ યુવાઓથી ધમધમતો રહે છે તેમજ રોડ પર ખાણીપીણીની લારીઓ પણ ઊભી રહે છે, પરંતુ બનાવની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.સદનસીબે લોકોની ભીડ ઓછી હોવાથી તથ્ય પટેલે કરેલા અકસ્માત જેવો અકસ્માત થતાં રહી ગયો હતો.

અકસ્માત બાદ ટ્રાફિક-પોલીસે ક્રેન વડે અકસ્માત કરનારી ગાડીને ટોઈંગ કરી હતી. કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...