Sunday, January 25, 2026

અમદાવાદ રિવરફ્રન્ટ પર સ્પીડ લિમિટનો ભંગ કર્યો તો દંડ ભરવાની તૈયારી રાખજો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ સ્પીડથી વાહન ચલાવનારા લોકોએ હવે દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હવે મહત્વના જંકશન પર સ્પીડ રડાર ગન (speed radar gun) લગાવવાનું શરૂ કર્યું છે જે વાહનોની સ્પીડ માપીને નિયત કરતાં વધુ સ્પીડે જતા વાહનચાલકોને તરત જ મર્યાદા ઓળંગી ચલણ જારી કરી શકશે. સાબરમતી રિવરફ્રન્ટના(Sabarmati Riverfront)ના પૂર્વ કિનારે સ્પીડ રડાર લગાવી તેની શરુઆત કરવામાં આવી છે.

એક ટ્રાફિક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ લોકો રાતના સમયે સ્ટંટ કરે છે અને ઓવરસ્પીડિંગને કારણે અકસ્માતો થાય છે. મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસક કર્મચારીઓને તૈનાત કરવા શક્ય હોતા નથી. સ્પીડ રડાર ગનનો ફાયદો એ છે કે કોઈ પણ કર્મચારી તરત જ ઇ-ચલણ જારી કરી શકે છે. જો કે દિવસના સૌથી વધારે લોકો ઓવરટેક કરતાં અને સ્પીડમાં વાહનો ચલાવે છે તે માટે અમે સ્પીડગનથી કેપ્ચર કરીએ છીએ જેનાં દ્રારાના રોજનાં 90 થી 100 કેસ પકડાય છે.

રૂપિયા ત્રણ લાખથી વધુના ખર્ચે વસાવાયેલા અધ્યતન મશીન એટલે કે સ્પીડ ગન સાથે અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરી જોવા મળી રહી છે કે જેમાં રિવરફ્રન્ટ પર નિયત કરાયેલી 70 કરતા વધુ ગતિ મર્યાદા હોય તેવા વાહન ચાલકોને મેમો મોકલવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ ના માર્ગ ઉપર અગાઉ ખૂબ વધારે ગતિ મર્યાદામાં લોકો ગાડી હંકારતા હતા, પરંતુ પાછલા દિવસમાં ટ્રાફિક પોલીસની કામગીરીને કારણે લોકોમાં ભય ઉભો થયો છે અને પરિણામે અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. અહીં ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે. જેના કારણે ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવે છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.

થોડા સમય પહેલા ગતિ મર્યાદા કરતા ખૂબ વધુ ઝડપથી વાહન હંકારવાના કારણે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રાજ્ય સરકારની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદ શહેરમાં ખૂબ વધુ ઝડપથી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...