Friday, January 16, 2026

સાવધાન ! હાઉસીંગના રહીશો, રિડેવલમેન્ટ પ્રક્રિયા દરમ્યાન, જો…જો…તમારા ચેરમેન-સક્રેટરી બિલ્ડરનાં ખોળામાં બેસી ન જાય…!!

spot_img
Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતો આવેલ છે. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-પાંચ હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કયાંક સંમતિ લેવાયા બાદ હાઉસીંગ બોર્ડ દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ બિલ્ડર નક્કી કરીને સોસાયટીઓમાં વાટાઘાટો ચાલી રહી છે.જેમાં મુખ્યત્વે સૌથી પૈચીદો પ્રશ્ન છે ગીફટ મની..કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, જોવા જઈએ તો ખાનગી એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટમાં બિલ્ડરો દ્વારા ફર્નીચરના નામે ગીફટ મની આપી રહ્યાં છે ત્યારે હાઉસીંગ વસાહતોમાં પણ ગીફટ મનીની માંગ પ્રબળ બની છે.નવા વાડજના ઉત્સવ એપાર્ટમેન્ટ સહિત નારણપુરામાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોમાં ગીફટ મનીને લઈને સમગ્ર પ્રોજેક્ટ ઘોંચમાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું ત્યારે બિલ્ડરો દ્વારા ગીફટ મની આપવાનો ઈન્કાર કરી રહ્યાં છે, પરંતુ જોવા જઈએ તો અત્યાર સુધી જે જે પ્રોજેકટો રિડેવલમેન્ટમાં ગયા છે એમાંય કયાંક ગીફટ મની અપાયા છે તો કયાંક બિલ્ડરોએ ચેરમેન-સેક્રેટરીઓ સાથે સાંઠગાંઠ કરીને ગીફટ મની આપ્યા નથી.આમ બિલ્ડરોએ ગીફટ મની ન આપવા પડે માટે શોર્ટ કટ અપનાવી ચેરમેન-સેક્રેટરી સાથે બંધબારણે સેટીંગ કરીને હાઉસીંગના રહીશોને ગીફટ મની ન આપવાનો કારશો રચ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

એક હાઉસીંગ આગેવાનના જણાવ્યા મુજબ સરકારની પોલીસીમાં મુળ બાંધકામના 40 ટકા વધુ અને નવુ બાંધકામ આપે છે પરંતુ બિલ્ડરો દ્વારા એલોટમેન્ટમાં મુળ ફલેટધારકોને પાછળની સાઈડમાં આપવામાં આવી રહ્યા છે.પ્રાઈમ લોકેશનમાં બિલ્ડરો પોતાના ફલેટ બનાવતા હોવાનું જાણવા મળ્યું છે સાથેસાથે અનેક મુદ્દે બિલ્ડરો પોતાનું ધાર્યુ કરી રહ્યા છે અથવા તો બિલ્ડરો ચેરમેન સેક્રેટરીને હાથો બનાવી પોતાનું ધાર્યુ કરાવી રહ્યા છે.જેથી મોટી સંખ્યામાં હાઉસીંગના રહીશો નારાજ છે, તેમ છતાં જો બિલ્ડરો દ્વારા ગીફટ મની ન આપવામાં આવે તો હાઉસીંગના રહીશોને ખૂબ જ અન્યાય કરી રહ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે જો બિલ્ડર દ્વારા સમગ્ર રિડેવલમેન્ટ પ્રક્રિયામાં ગીફટ મની સહિતના મુદ્દે પોતાનું ધાર્યુ કરે તો જે તે સોસાયટીઓ હાઉસીંગ બોર્ડને લેખીતમાં જણાવી અન્ય બિલ્ડર માટે કહી શકે છે.

હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જો હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.
નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટના ભણકારા વાગી રહ્યા છે ત્યારે, હાઉસીંગના રહીશો કે જે નિમ્ન મધ્યમ વર્ગમાં વહેંચાયેલ છે એમાંય ખાસ કરીને એલઆઈજી અને એમઆઈજી હાઉસીંગના મોટા ભાગના રહીશો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે.ત્યારે આવા રહીશોને ગીફટ મની મળે અને તેઓની માંગણીઓને વાચા મળે તે હેતુ સાથે આ રજૂઆત સરકાર, બિલ્ડર અને નાગરિકો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે.

(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને લોકો જીવન જોખમે જીવી રહ્યા છે એવા લોકોએ તાત્કાલિક રીપેરીંગ કરાવી દેવું જોઈએ અથવા તો રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...