Wednesday, January 7, 2026

ગોતાનું અનોખું મિત્ર મંડળ, 51 ભૂદેવોને સમૂહભોજન કરાવી ગણેશજીની મૂર્તિ ભેટ આપી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

તમે અનેક મિત્ર મંડળોને અનેક સામાજીક, ધાર્મિક કાર્યો કરતા જોયા હશે, પરંતુ અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળની વાત કંઈક અલગ તરી આવે છે. તાજેતરમાં ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન યજ્ઞોપવિતની ભવ્ય સફળતા બાદ શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

મંડળના રેશ્મા પંડિતના જણાવ્યા મુજબ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ એ ગુજરાતનું પ્રથમ એવું મિત્ર મંડળ છે કે જે નિઃશુલ્ક કામ કરી રહ્યું છે આ ઉપરાંત મંડળની વિશેષતા એ છે કે મંડળમાં ન કોઈ પ્રમુખ, ન કોઈ મંત્રી અને ન કોઈ સભ્ય ફી, કોઈ પણ પ્રકારના હોદ્દેદારો વગર કામ કરી રહ્યું છે. ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.

આ અગાઉ રક્ષાબંધન નિમિત્તે ગોતા વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. તેમજ આચાર્ય પદે રહેલ શાસ્ત્રી જી દ્વારા યોગ્ય મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી નિશુલ્ક રાખવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...