Monday, January 19, 2026

ચાંદલોડીયામાં પ્રેમના ચક્કરમાં મિત્રએ કરી મિત્રની હત્યા, મૃતદેહ લઇ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો

spot_img
Share

અમદાવાદ: શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં હત્યાની એક અજુગતી ઘટના સામે આવી છે. જ્યાં ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો છે. પરંતુ હત્યા કરવાનું પ્રાથમિક કારણ સાંભળતા કદાચ આપ પણ હચમચી જશો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વપ્નિલ પ્રજાપતિ અને હથિયારો વેદાંત બંને મિત્રો જ હતા. બંને મોડી રાત સુધી ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા હતા. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ પ્રકરણ મામલે તકરાર થઈ હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ કે, વેદાંતે સ્વપ્નિલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

યુવતી બાબતે બે મિત્રો વચ્ચે થયેલો ઝગડો હત્યામાં પરિણમ્યો હતો. પરંતું વેદાંતે ઠંડે કલેજે મિત્રની હત્યા કર્યા બાદ સહેજ પણ રંજ રાખ્યો ન હતો. મિત્રને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાને બદલે સીધો કારમાં મૂક્યો હતો. વેદાંત સ્વપ્નીલના મૃતદેહને લઈને પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં કારમાં આવેલ મૃતદેહને જોઈ સોલા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશનમાં બેસાડી મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...