Saturday, January 17, 2026

દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2200 બસ

spot_img
Share

અમદાવાદ : દિવાળી વેકેશન અને વતનમાં તહેવાર કરવા માટે લોકો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેન, ફ્લાઈટ અને બસમાં બુકીંગ કરાવી રહ્યા છે. ટ્રેનમાં વેટીંગ પણ વધી રહ્યુ છે. છેલ્લી ઘડી જો જવાનુ પ્લાન કરતા હતો તો ટિકિટ મળશે કે નહી તેની ચિંતા રહેશે. પરંતુ એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવાર માટે 2 હજારથી વધુ બસો વધારાની દોડાવવાના છે. જેના કારણે પ્રવાસી પોતાના પવન પહોચવામાં સરળતા રહે.

દરેક તહેવાર અથવા તો ધાર્મિક પ્રસંગ, મેળા ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવારમાં પણ લોકો ફરવા અથવા તો પોતાના વતન જતા હોય છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ગયા વર્ષે દિવાળીમાં 1500 જેટલી બસો દોડાવી હતી. અને 6 કરોડથી વધુની આવક થઇ હતી. જ્યારે આ વર્ષે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.

ST વિભાગ દ્વારા 2200 જેટલી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે 1700 બસ માત્ર સુરત શહેર માટે જ ફાળવવામાં આવી છે. કારણ કે સુરત શહેર કાપડ અને રત્ન ઉદ્યોગ સાથે જોડાયેલું સૌથી મોટું શહેર છે. સુરતમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ જોવા મળે છે, મોટાભાગે અન્ય રાજ્યના લોકો ત્યાં વસવાટ કરીને નોકરી કરતા હોય છે. જેથી સુરત શહેરથી સૌથી વધારે લોકો પોતાના વતન એવા અન્ય શહેર વડોદરા, અમદાવાદ, રાજકોટ કે પછી સૌરાષ્ટ્રના શહેર જતા હોય છે. જેને લઈને સુરત માટે જ માત્ર 1700 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. તે સિવાય દિવાળી પર્વ પર જો કોઈ પણ સ્ટેશન કે ડેપો ખાતે મુસાફરોની સંખ્યા વધે અને ભીડ થાય તો તેવા સમયે ત્યાંના મેનેજરને જરૂર જણાય તે પ્રમાણે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા પણ સૂચન કર્યું છે. જેથી મુસાફરોની ભીડને પહોંચી શકાય અને લોકોને સુવિધા પણ આપી શકાય. એક્સ્ટ્રા બસો 7 નવેમ્બરથી દિવાળીના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...