Friday, March 13, 2026

દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2200 બસ

spot_img
Share

અમદાવાદ : દિવાળી વેકેશન અને વતનમાં તહેવાર કરવા માટે લોકો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેન, ફ્લાઈટ અને બસમાં બુકીંગ કરાવી રહ્યા છે. ટ્રેનમાં વેટીંગ પણ વધી રહ્યુ છે. છેલ્લી ઘડી જો જવાનુ પ્લાન કરતા હતો તો ટિકિટ મળશે કે નહી તેની ચિંતા રહેશે. પરંતુ એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવાર માટે 2 હજારથી વધુ બસો વધારાની દોડાવવાના છે. જેના કારણે પ્રવાસી પોતાના પવન પહોચવામાં સરળતા રહે.

દરેક તહેવાર અથવા તો ધાર્મિક પ્રસંગ, મેળા ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવારમાં પણ લોકો ફરવા અથવા તો પોતાના વતન જતા હોય છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ગયા વર્ષે દિવાળીમાં 1500 જેટલી બસો દોડાવી હતી. અને 6 કરોડથી વધુની આવક થઇ હતી. જ્યારે આ વર્ષે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.

ST વિભાગ દ્વારા 2200 જેટલી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે 1700 બસ માત્ર સુરત શહેર માટે જ ફાળવવામાં આવી છે. કારણ કે સુરત શહેર કાપડ અને રત્ન ઉદ્યોગ સાથે જોડાયેલું સૌથી મોટું શહેર છે. સુરતમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ જોવા મળે છે, મોટાભાગે અન્ય રાજ્યના લોકો ત્યાં વસવાટ કરીને નોકરી કરતા હોય છે. જેથી સુરત શહેરથી સૌથી વધારે લોકો પોતાના વતન એવા અન્ય શહેર વડોદરા, અમદાવાદ, રાજકોટ કે પછી સૌરાષ્ટ્રના શહેર જતા હોય છે. જેને લઈને સુરત માટે જ માત્ર 1700 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. તે સિવાય દિવાળી પર્વ પર જો કોઈ પણ સ્ટેશન કે ડેપો ખાતે મુસાફરોની સંખ્યા વધે અને ભીડ થાય તો તેવા સમયે ત્યાંના મેનેજરને જરૂર જણાય તે પ્રમાણે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા પણ સૂચન કર્યું છે. જેથી મુસાફરોની ભીડને પહોંચી શકાય અને લોકોને સુવિધા પણ આપી શકાય. એક્સ્ટ્રા બસો 7 નવેમ્બરથી દિવાળીના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...