Friday, January 16, 2026

અમદાવાદના આ મંદિરને મળ્યુ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ, અક્ષત કળશના 5 જાન્યુઆરી સુધી દર્શન કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : આગામી 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશના અનેક મંદિરોને આમંત્રણ અપાયુ છે. જેમા અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને પણ આમંત્રણ મળ્યુ છે.કેમ્પ હનુમાન મંદિરમાં અયોધ્યાથી અક્ષત કળશ આમંત્રણ સ્વરૂપે આવ્યા છે. જેમને દર્શનાર્થીઓ માટે રાખવામાં આવ્યા છે.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી અનેક લોકો હાજર રહેવાના છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મહોત્સવનું આમંત્રણ તમામ લોકો સુધી પહોંચે તે માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને આમંત્રણ આપવામા આવશે. અયોધ્યાથી આમંત્રણ સ્વરૂપે આવેલા કળશ અત્યારે કેમ્પ હનુમના મંદિરમાં છે. કેમ્પ હનુમાન મંદિરમાં ચોખા ભરેલ કળશ લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો છે.

કેમ્પ હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, આ અક્ષત કળશ છે જેનું ખૂબ જ મહત્વ છે. અમદાવાદ જિલ્લામાં જે આમંત્રણ આવ્યું છે તે કેમ્પ હનુમાન મંદિર ખાતે છે. ભક્તો 5 જાન્યુઆરી સુધી દર્શન કરી શકશે ત્યારબાદ પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...