Wednesday, January 21, 2026

SG highway પર મહાકાય કન્ટેનર પલ્ટાતા અકસ્માત સર્જાયો, ટ્રાફિક જામ સર્જાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SG highway પર ઓવરસ્પીડના કારણે કન્ટેનર પલ્ટાતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અક્સમાતને કારણે ફ્લાયઓવર પરથી હેબતપુર ક્રોસરોડ જવાનો માર્ગ બંધ સાવચેતી રૂપે તંત્રે બંધ કરાવ્યો. મળતા અહેવાલ પ્રમાણે આ કન્ટેનરના ચાલકનો ઓવરસ્પીડના કારણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને પલ્ટી ખાધી હતી. અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ટ્રાફિકના જવાનોએ સ્થિતિને સંભાળી લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ SG highway પર હેબતપુર સ્પ્લીટ ફ્લાયઓવર પર નીચે ઉતરવાની દિશામાં કન્ટેનર પલટી ગયુ હતું. હાઈવેના બે ભાગ પડતા હોવાનો ચાલકને અંદાજ ન આવ્યો હોવાની સંભાવના છે. કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે. બન્નેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ભાગ પડવાની જગ્યાએ પૂરતા સાઈનબોર્ડ અને રીફલે્કટર ન હોવાથી આ ઘટના બની હતી. અક્સમાતને પગલે ફ્લાયઓવર ઉપરથી હેબતપુર ક્રોસરોડ માટે નીચે જવાનો માર્ગ બંધ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાતા રહેતા હોય છે, સદનસીબે આ સ્થળ પર તે સમયે અન્ય કોઈ વાહન આવી નહોતું રહ્યું નહીંતર મોટી જાનહાની સર્જાત. હાલ આ કન્ટેનરને ક્રેનની મદદથી હટાવીને રસ્તો ક્લિયર કરાઈ દીધો છે, અને વાહનોની અવરજવર શરૂ કરાઈ દેવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...