Wednesday, January 21, 2026

ભારતની રાજનીતિના ‘ચાણક્ય’ અમિત શાહ કોની સાથે ચેસ રમી રહ્યાં છે?

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ ઉત્સાહિત છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક તસવીર વાયરલ થઈ રહી છે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આમાં તે બે નાની બાળકીઓ સાથે ચેસ રમતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Amit Shah (@amitshahofficial)

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ બંને પૌત્રીઓ સાથે ચેસ રમી રહ્યાં છે. તેમણે આ તસવીર સાથે લખ્યું છે કે, એક સારી ચાલ માટે સમજૂતિ ના કરો પરંતુ હંમેશા શ્રેષ્ઠ (સારાથી સંતોષ માનશો નહીં, હંમેશા શ્રેષ્ઠતમ તરફ આગળ વધો) શોધો. તમને જણાવી દઈએ કે અમિત શાહ રાજકારણમાં સફળ હોવાની સાથે સાથે સારા સ્પોર્ટ્સ મેન પણ છે. અમિત શાહને ક્રિકેટ અને ચેસનો ખૂબ શોખ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. તેઓ રાજકીય પીચ પર ચેકમેટ કોને અને કેવી રીતે કરવા તે સારી રીતે જાણે છે. પરંતુ આ સિવાય આજે તે પોતાની પૌત્રીઓને ચેસ શીખવી રહ્યાં છે. શાહ બગીચામાં ખુરશી પર બેઠેલી તેમની પૌત્રીઓ સાથેની તસવીર પોસ્ટ કરી છે. ગૃહમંત્રીની આ તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ચાણક્ય કહ્યા જ્યારે અન્ય લોકોએ તેમને ગેમ ચેન્જર કહ્યા.

અમિત શાહ અને તેમના પત્નિ સોનલ શાહના પુત્ર જય શાહ છે. જય શાહે પોતાના બાળપણની દોસ્ત રિશિતા પટેલ સાથે લગ્ન કર્યાં હતા અને તેમને બે દિકરીઓ છે. મોટી દિકરીનું નામ રુદ્રી છે. તે અમિત શાહ સાથે ઘણીવાર જાહેર મંચ પર જોવા મળી છે. અમિત શાહે આજે બંને પૌત્રીઓ સાથે શતરંજ રમતી વખતની તસવીર શેર કરી છે.

અમિત શાહ માત્ર ક્રિકેટના શોખીન છે તેવું નથી. તેઓ ચેસની રમતમાં પણ માહેર છે. અમિત શાહ વર્ષ 2006માં ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને 2010 સુધી આ પદ પર રહ્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન તેઓએ રાજ્યમાં ચેસની રમતને પ્રોત્સાહન આપ્યું હતું અને બાળકોના અભ્યાસમાં ચેસની રમતને ફરજિયાત વિષય તરીકે બનાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...