Friday, March 13, 2026

ન્યુ રાણીપ-અમદાવાદથી અયોધ્યા સુધી 1400 કિમીની રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન, 8 જાન્યુઆરીએ પ્રસ્થાન

spot_img
Share

અમદાવાદ : આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા રામમંદિરની પ્રાણપ્રતિષ્ટાની સર્વે દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. 8 જાન્યુઆરીથી શરૂ થનારી 1400 કિલોમીટરની આ શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા 14 શહેરમાંથી પસાર થઈ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. ત્યાં પહોંચી રામલલ્લાને 51 લાખનો રથ અર્પણ કરશે. યાત્રા પાછળ 51 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

શ્રીરામ ચરિત્ર માનસ યાત્રાટ્રસ્ટના ટ્રસ્ટના રામચરણ મિશ્રાના જણાવ્યા અનુસાર, 33 વર્ષ બાદ અમદાવાદના ન્યુ રાણીપના રામચરિત માનસ ટ્રસ્ટ દ્રારા ન્યુ રાણીપ-અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ગુજરાત-MP-UPનાં 14 શહેરોમાંથી 1400 કિમીનું અંતર કાપીને 20 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યા પહોંચશે.જેમાં વિવિધ રાજ્યના કુલ 1008 લોકો જોડાશે. આ યાત્રા માટે આશરે 50 કરોડનું દાન એકત્રિત કરાશે. રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામ ધૂન ગાવામાં આવશે. એક રથમાં 15 લોકો બેસી શકશે. યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.

ટ્રસ્ટ દ્વારા આયોધ્યાના રામમંદિરને રથ અર્પણ કરાશે. તે માટે 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો રથ તૈયાર કરાશે. રથની આગળ 6 ફૂટની હનુમાનજીની પ્રતિમા રહેશે. જ્યારે રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકવામાં આવશે. રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકાશે. 10થી વધુ કારીગરો રથને તૈયાર કરી રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 51 લાખ છે. રથ તૈયાર થયા બાદ 5 જાન્યુઆરીએ ન્યૂ રાણીપ ખાતે લાવીને તેની પૂજા કરાશે. આ સાથે બીજા ચાર રથ પણ તૈયાર કરાશે, જે રાજ્યમાં વિવિધ જગ્યાએ જઈ રામ મહોત્સવ માટે આમંત્રણ આપશે.

રથયાત્રાનો રૂટ

8 જાન્યુઆરીથી પ્રારંભ
9 જાન્યુઆરી: ગોધરા
10 જાન્યુઆરી: દાહોદ
11 જાન્યુઆરી: બંદાવર
12 જાન્યુઆરી: ઉજ્જૈન
13 જાન્યુઆરી: પચોર
14 જાન્યુઆરી: ગુના
15 જાન્યુઆરી: શિવપુરી
16 જાન્યુઆરી: ઝાંસી
17 જાન્યુઆરી: ઉરઈ
18 જાન્યુઆરી: કાનપુર
19 જાન્યુઆરી: લખનઉ
20 જાન્યુઆરી: અયોધ્યા પહોંચશે
22 જાન્યુઆરી: શ્રીરામ મંદિર, અયોધ્યા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...