Monday, April 27, 2026

ન્યુ રાણીપ-અમદાવાદથી અયોધ્યા સુધી 1400 કિમીની રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન, 8 જાન્યુઆરીએ પ્રસ્થાન

spot_img
Share

અમદાવાદ : આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા રામમંદિરની પ્રાણપ્રતિષ્ટાની સર્વે દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. 8 જાન્યુઆરીથી શરૂ થનારી 1400 કિલોમીટરની આ શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા 14 શહેરમાંથી પસાર થઈ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. ત્યાં પહોંચી રામલલ્લાને 51 લાખનો રથ અર્પણ કરશે. યાત્રા પાછળ 51 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

શ્રીરામ ચરિત્ર માનસ યાત્રાટ્રસ્ટના ટ્રસ્ટના રામચરણ મિશ્રાના જણાવ્યા અનુસાર, 33 વર્ષ બાદ અમદાવાદના ન્યુ રાણીપના રામચરિત માનસ ટ્રસ્ટ દ્રારા ન્યુ રાણીપ-અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ગુજરાત-MP-UPનાં 14 શહેરોમાંથી 1400 કિમીનું અંતર કાપીને 20 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યા પહોંચશે.જેમાં વિવિધ રાજ્યના કુલ 1008 લોકો જોડાશે. આ યાત્રા માટે આશરે 50 કરોડનું દાન એકત્રિત કરાશે. રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામ ધૂન ગાવામાં આવશે. એક રથમાં 15 લોકો બેસી શકશે. યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.

ટ્રસ્ટ દ્વારા આયોધ્યાના રામમંદિરને રથ અર્પણ કરાશે. તે માટે 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો રથ તૈયાર કરાશે. રથની આગળ 6 ફૂટની હનુમાનજીની પ્રતિમા રહેશે. જ્યારે રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકવામાં આવશે. રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકાશે. 10થી વધુ કારીગરો રથને તૈયાર કરી રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 51 લાખ છે. રથ તૈયાર થયા બાદ 5 જાન્યુઆરીએ ન્યૂ રાણીપ ખાતે લાવીને તેની પૂજા કરાશે. આ સાથે બીજા ચાર રથ પણ તૈયાર કરાશે, જે રાજ્યમાં વિવિધ જગ્યાએ જઈ રામ મહોત્સવ માટે આમંત્રણ આપશે.

રથયાત્રાનો રૂટ

8 જાન્યુઆરીથી પ્રારંભ
9 જાન્યુઆરી: ગોધરા
10 જાન્યુઆરી: દાહોદ
11 જાન્યુઆરી: બંદાવર
12 જાન્યુઆરી: ઉજ્જૈન
13 જાન્યુઆરી: પચોર
14 જાન્યુઆરી: ગુના
15 જાન્યુઆરી: શિવપુરી
16 જાન્યુઆરી: ઝાંસી
17 જાન્યુઆરી: ઉરઈ
18 જાન્યુઆરી: કાનપુર
19 જાન્યુઆરી: લખનઉ
20 જાન્યુઆરી: અયોધ્યા પહોંચશે
22 જાન્યુઆરી: શ્રીરામ મંદિર, અયોધ્યા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...