Wednesday, September 17, 2025

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ રૂટ પર AC ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

Share

Share

અમદાવાદ : ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. એસટી 3 કરોડના ખર્ચે આ સંપૂર્ણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા 63 પેસેન્જરની હશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસનું ઉદઘાટન કરવાનું આયોજન છે.

એસટી નિગમ પ્રદૂષણ ઘટાડવા ઓછો કાર્બન નીકળે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી બસો વસાવશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી બસોના કાફલામાં બે ઈલેક્ટ્રિક બસનો ઉમેરો કરાશે. અંદાજે ત્રણ દાયકા અગાઉ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ દોડતી હતી. પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે ડબલ ડેકર બસ સેવા શરૂ કરાશે. આ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં 63 મુસાફરો બેસવાની ક્ષમતા અને બસ એક વખત ચાર્જિંગ કર્યા બાદ 250 કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની કિંમત અંદાજે ત્રણેક કરોડની રહેશે તેમ એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ સિવિલ હોસ્પિટલ, એસ ટી ડેપો ગીતા મંદિર, સરખેજ હાઇવે પર દોડશે. ઈલેક્ટ્રિક બસ ડબલ ડેકરની હોવાથી માર્ગ ઉપર અડચણ રૂપ વૃક્ષો કે વાયરિંગ આવતા ન હોય તેવા રૂટ પસંદ કરવામાં આવશે તેવી માહિતી એસટી નિગમના સૂત્રોએ આપી હતી.

તમને જણાવી દઈએ કે ત્રણ દાયકા અગાઉ ડબલ ડેકર બસ દોડતી હતી. પરંતુ વધુ પડતાં ઉપયોગને કારણે બસ ખોટકાતી જતાં અંતે બંધ કરવામાં આવી હતી. એ પછી નવી ડબલ ડેકર બસ વસાવાઈ ન હતી. ગાંધીનગર મહાપાલિકાએ અમદાવાદને કનેક્ટ કરતી બે ઈલેક્ટ્રિક બસ શરૂ કરી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં હવે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનું નક્કી કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...