Wednesday, January 7, 2026

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ રૂટ પર AC ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. એસટી 3 કરોડના ખર્ચે આ સંપૂર્ણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા 63 પેસેન્જરની હશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસનું ઉદઘાટન કરવાનું આયોજન છે.

એસટી નિગમ પ્રદૂષણ ઘટાડવા ઓછો કાર્બન નીકળે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી બસો વસાવશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી બસોના કાફલામાં બે ઈલેક્ટ્રિક બસનો ઉમેરો કરાશે. અંદાજે ત્રણ દાયકા અગાઉ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ દોડતી હતી. પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે ડબલ ડેકર બસ સેવા શરૂ કરાશે. આ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં 63 મુસાફરો બેસવાની ક્ષમતા અને બસ એક વખત ચાર્જિંગ કર્યા બાદ 250 કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની કિંમત અંદાજે ત્રણેક કરોડની રહેશે તેમ એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ સિવિલ હોસ્પિટલ, એસ ટી ડેપો ગીતા મંદિર, સરખેજ હાઇવે પર દોડશે. ઈલેક્ટ્રિક બસ ડબલ ડેકરની હોવાથી માર્ગ ઉપર અડચણ રૂપ વૃક્ષો કે વાયરિંગ આવતા ન હોય તેવા રૂટ પસંદ કરવામાં આવશે તેવી માહિતી એસટી નિગમના સૂત્રોએ આપી હતી.

તમને જણાવી દઈએ કે ત્રણ દાયકા અગાઉ ડબલ ડેકર બસ દોડતી હતી. પરંતુ વધુ પડતાં ઉપયોગને કારણે બસ ખોટકાતી જતાં અંતે બંધ કરવામાં આવી હતી. એ પછી નવી ડબલ ડેકર બસ વસાવાઈ ન હતી. ગાંધીનગર મહાપાલિકાએ અમદાવાદને કનેક્ટ કરતી બે ઈલેક્ટ્રિક બસ શરૂ કરી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં હવે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનું નક્કી કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...