Wednesday, January 14, 2026

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ રૂટ પર AC ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. એસટી 3 કરોડના ખર્ચે આ સંપૂર્ણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા 63 પેસેન્જરની હશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસનું ઉદઘાટન કરવાનું આયોજન છે.

એસટી નિગમ પ્રદૂષણ ઘટાડવા ઓછો કાર્બન નીકળે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી બસો વસાવશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી બસોના કાફલામાં બે ઈલેક્ટ્રિક બસનો ઉમેરો કરાશે. અંદાજે ત્રણ દાયકા અગાઉ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ દોડતી હતી. પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે ડબલ ડેકર બસ સેવા શરૂ કરાશે. આ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં 63 મુસાફરો બેસવાની ક્ષમતા અને બસ એક વખત ચાર્જિંગ કર્યા બાદ 250 કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની કિંમત અંદાજે ત્રણેક કરોડની રહેશે તેમ એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ સિવિલ હોસ્પિટલ, એસ ટી ડેપો ગીતા મંદિર, સરખેજ હાઇવે પર દોડશે. ઈલેક્ટ્રિક બસ ડબલ ડેકરની હોવાથી માર્ગ ઉપર અડચણ રૂપ વૃક્ષો કે વાયરિંગ આવતા ન હોય તેવા રૂટ પસંદ કરવામાં આવશે તેવી માહિતી એસટી નિગમના સૂત્રોએ આપી હતી.

તમને જણાવી દઈએ કે ત્રણ દાયકા અગાઉ ડબલ ડેકર બસ દોડતી હતી. પરંતુ વધુ પડતાં ઉપયોગને કારણે બસ ખોટકાતી જતાં અંતે બંધ કરવામાં આવી હતી. એ પછી નવી ડબલ ડેકર બસ વસાવાઈ ન હતી. ગાંધીનગર મહાપાલિકાએ અમદાવાદને કનેક્ટ કરતી બે ઈલેક્ટ્રિક બસ શરૂ કરી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં હવે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનું નક્કી કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...