Sunday, November 9, 2025

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આ રૂટ પર AC ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. એસટી 3 કરોડના ખર્ચે આ સંપૂર્ણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા 63 પેસેન્જરની હશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસનું ઉદઘાટન કરવાનું આયોજન છે.

એસટી નિગમ પ્રદૂષણ ઘટાડવા ઓછો કાર્બન નીકળે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી બસો વસાવશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી બસોના કાફલામાં બે ઈલેક્ટ્રિક બસનો ઉમેરો કરાશે. અંદાજે ત્રણ દાયકા અગાઉ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ દોડતી હતી. પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે ડબલ ડેકર બસ સેવા શરૂ કરાશે. આ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં 63 મુસાફરો બેસવાની ક્ષમતા અને બસ એક વખત ચાર્જિંગ કર્યા બાદ 250 કિલોમીટર સુધી દોડશે. ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસની કિંમત અંદાજે ત્રણેક કરોડની રહેશે તેમ એસ ટી નિગમના સૂત્રોએ જણાવ્યું છે.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ સિવિલ હોસ્પિટલ, એસ ટી ડેપો ગીતા મંદિર, સરખેજ હાઇવે પર દોડશે. ઈલેક્ટ્રિક બસ ડબલ ડેકરની હોવાથી માર્ગ ઉપર અડચણ રૂપ વૃક્ષો કે વાયરિંગ આવતા ન હોય તેવા રૂટ પસંદ કરવામાં આવશે તેવી માહિતી એસટી નિગમના સૂત્રોએ આપી હતી.

તમને જણાવી દઈએ કે ત્રણ દાયકા અગાઉ ડબલ ડેકર બસ દોડતી હતી. પરંતુ વધુ પડતાં ઉપયોગને કારણે બસ ખોટકાતી જતાં અંતે બંધ કરવામાં આવી હતી. એ પછી નવી ડબલ ડેકર બસ વસાવાઈ ન હતી. ગાંધીનગર મહાપાલિકાએ અમદાવાદને કનેક્ટ કરતી બે ઈલેક્ટ્રિક બસ શરૂ કરી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં હવે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનું નક્કી કરાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...