Sunday, January 25, 2026

સોલા પોલીસે ચોરને પકડવા રચ્યા લારી અને ફુગ્ગા વેચવાવાળા ફેરિયાના અનોખા સ્વાંગ, વાંચો રસપ્રદ અહેવાલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરની સોલા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. 500થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરી પોલીસકર્મીઓએ ચોરને પકડવા માટે મધ્યપ્રદેશ સુધી જઈને કેસ ઉકેલી નાખ્યો છે. ચોરને પકડવા કોઈ પોલીસવાળાએ શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા વેચવા પડ્યા અને આખરે વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં સન ડિવાઇન-3 માં એડવોકેટ ગુલાબજી માધુજી ઠાકોર (ઉં.56) પરિવારના સભ્યો સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે વતન ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી ચોરીની થવાની ઘટના સામે આવી હતી. તસ્કરે એડવોકેટ ગુલાબજીના ઘરેથી તેમના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી રૂ.91,800 ના મત્તાની ચોરી કરી હતી. આ અંગે ગુલાબજીએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં વેશપલટો કરીને ડુંગળી–બટાકાની લારી અને ફુગ્ગા વેચવાવાળા ફેરિયાના સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતા અને આઠ કલાક બાદ રીઢા ઘરફોડ ચોર અશોકને ઝડપી લીધો હતો.

શરૂઆતમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી નોંધાતાની સાથે જ પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, ચોર ચોરી કરવા માટે ગોલ્ડન કલરનું સ્કૂટર લઈને આવ્યો હતો. બસ ત્યાર બાદ પોલીસે સ્કૂટરના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી અને તેઓ જગતપુરમાં રહેતા અને પાણીપુરીની લારી ધરાવતા માલિક સુધી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર બાબતે વધુ પૂછપરછ હાથ ધરાતા ચોર અંગે વધુ માહિતી જાણવા મળી હતી. જેના અનુસાર ફોટોમાં દેખાતો યુવાન મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભદરોલી ગામમાં રહેતો તેનો મિત્ર અશોક નરસિંહ શર્મા (ઉં.30) હતો અને તે બે દિવસ તેના ઘરે રહેવા આવ્યો હતો ત્યારે સ્કૂટર લઈને ફરતો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ ચોર વિશે જરૂરી બધી માહિતી એકત્ર કરી અશોક જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તાર ખૂબ ગીચ અને વસ્તી વાળો હોવાથી પોલીસે તેને પકડવા માટે યુક્તિ અજમાવી હતી અને પોલીસ વેશપલટો કરીને ડુંગળી–બટાકાની લારી અને ફુગ્ગા વેચવાવાળા ફેરિયાના સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતા અને આઠ કલાક બાદ અશોકને ઝડપી લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...