Wednesday, March 4, 2026

લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરો, ભાજપના આ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

spot_img
Share

અમદાવાદ : લગ્ન નોંધણી અધિનિયમમાં કરવામાં સુધારો કરવાની માગ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરથી ભાજપનાં ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી રમણલાલ વોરાએ માગ કરી કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે. રમણલાલ વોરાના મતે લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવામાં આવે.

લગ્ન નોંધણીના અધિનિયમના સુધારા કરવા ઈડરના ધારાસભ્યના પત્રને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પણ સમર્થન આપ્યું છે. ગોવિંદભાઈ પટેલે કહ્યું રમણલાલ વોરા ખૂબ અભ્યાસુ નેતા છે અને સામાજિક રીતે પણ ખૂબ અભ્યાસુ છે. તેમના પત્ર પર સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાળાએ પણ લગ્ન નોંધણી વિધયક એકટમાં સુધારાની રમણ વોરાની માંગને સમર્થન આપ્યું છે. સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખે વોરાની માંગને આપ્યું ખુલ્લુ સમર્થન આપ્યું છે. લગ્ન નોંધણી કાનુનમાં સુધારાને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે ગણાવ્યો વર્તમાન સમયનો સૌથી સળગતો પ્રશ્ન છે. જે વિસ્તારમાં દીકરી અને તેના માતા પિતા રહેતા હોય તે જ વિસ્તારમાં કોર્ટમાં લગ્ન થવા જોઈએ. પાસપોર્ટ માટે જેમ વેરીફીકેશન થાય છે તેમ લગ્ન નોંધણી માટે વેરીફીકેશન થવું જરૂરી છે.

આ અગાઉ કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી હતી. ​ભાજપના ધારાસભ્યની માંગને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...