Tuesday, January 20, 2026

ચાણક્યપુરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, 9925 અરજીઓનો સ્થળ પર જ નિકાલ

spot_img
Share

અમદાવાદ : સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય સાથે AMC દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના નાગરિકો માટે ચાણક્યપુરી વિસ્તારમાં બળદેવગીરી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

AMC દ્વારા યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમનું ઉદઘાટન મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. વધારે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, BHIM APP અને આધાર કાર્ડ માટે નાગરિકોએ અરજી કરી હતી અને તમામ અરજીઓનો ત્યાં જ નિકાલ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના ઘાટલોડીયા, ચાંદલોડિયા, નવરંગપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નવાવાડજ, રાણીપ, વાસણા, સરખેજ, પાલડી, નવરંગપુરા વોર્ડના કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા.

આ સેવા સેતુ કાર્યક્રમ (નવમો તબક્કો)માં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ હતો. સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 9925 લાભાર્થીઓની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. નાગરીકોને સેવા સેતુ કાર્યક્રમમાં હાલાકી ન થાય તેમજ તેઓની અરજીઓનો સ્થળ પર જ સકારાત્મક નિકાલ થાય તે હેતુથી પૂછપરછ, હેલ્પ ડેસ્કની વ્યવસ્થા તેમજ વિનામુલ્યે ફોટોગ્રાફી/ઝેરોક્ષ અને નોટરીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...